અમદાવાદ સહીત રાજ્યની કેટલીક મહાનગર પાલિકાઓમાં પખવાડીયા પહેલા બહુ ગાજેલા પ્રકરણ ઈંડા-નોનવેજની લારીઓ હટાવવાનો મામલો હાઇકોર્ટમાં. શનિવારે સુનાવણી સંભવ
ઈંડા-નોનવેજ લારી હટાવાનો મુદ્દો કોર્ટમાં
ગુજરાત હાઇકોર્ટમાં.શનિવારે સુનાવણી સંભવ
રોજગારી કમાવવી એ બંધારણીય અધિકાર:અરજી
અમદાવાદ સહીત રાજ્યની કેટલીક મહાનગર પાલિકાઓમાં પખવાડીયા પહેલા બહુ ગાજેલા પ્રકરણ ઈંડા-નોનવેજની લારીઓ હટાવવાનો મામલો હાઇકોર્ટમાં પહોચ્યો છે. ગુજરાત હાઈકોર્ટમાં અરજદારે સરકારના નિર્ણયને પડકાર ફેંક્યો છે.અરજદારે પોતાની રજુઆતમાં કહ્યું છે કે, રોજગારી કમાવવી એ બંધારણીય અધિકાર છે.
પખવાડીયા પૂર્વેની ઘટના
ગુજરાતમાં પખવાડીયા પૂર્વે ભાજપના વરિષ્ઠ નેતાઓના નિવેદનથી હોબાળો મચી ગયો હતો. મહાનગર પાલિકાની હદમાં ઈંડા અને નોનવેજની લારી હટાવવા મુદ્દે નારાજગી ફેલાઈ હતી. જો કે, ખુદ મુખ્યમંત્રીએ તેમના નિવેદનમાં કહ્યું કે, ટ્રાફિકને દબાણ કર્તા વિસ્તારોમાં ઊભતી લારીઓ ચોક્કસ હટાવશે. બાકી, કોણે શું ખાવું શું ના ખાવું તેનો નિર્ણય સરકાર ના કરે. આમ, વાત થાળે પડી હતી. પરંતુ એક અરજદાર હવે ગુજરાત હાઈકોર્ટ પહોચ્યો છે.જેની અરજીને લઈને શનિવારે સુનાવણી થશે.
શનિવારે સુનાવણી શક્ય
રાજ્યમાં અન્ય મહાનગર પાલિકા કરતા અમદાવાદ મહાનગર પાલિકા આ મુદ્દે વધુ આક્રમક રહી હોવાના નિવેદન આવ્યા હતા.શહેરી વિકાસ સમિતિના ચેરમેને કરેલા નિવેદન બાદ. લારી ધારકોમાં મોટરો ફફડાટ વ્યાપી ગયો હતો. હાઈકોર્ટમાં અરજદારે ઈંડા-નોનવેજની લારીઓ હટાવવના નિર્ણય પર રોક લગાવવા માગણી કરી છે અને કહ્યું છે કે, સરકાર મનફાવે તેવા નિર્ણય કરીને હક છીનવે છે.રજુઆતમાં અર્જન્ટ ચાર્જમાં સુનાવણી કરવા અરજદારની કોર્ટમાં અરજ કરવામાં આવી છે. હાઈકોર્ટમાં આ અરજીની સુનાવણી શનિવારે શક્ય બની શકે છે.