કાળઝાળ ગરમી અને કોલસાની અછતના કારણે હાલમાં દેશના 13 રાજ્યો વીજસંકટનો સામનો કરી રહ્યાં છે. આ તમામની વચ્ચે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. જેનાથી કોલસાની અવરજવર વ્યવસ્થિત રીતે થઈ શકે છે.
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
કોલસાની અવરજવર કરવા માટે ટ્રેનો રદ કરી
કેટલાય રૂટ પર ટ્રેનો કેન્સલ કરી
કેન્દ્ર સરકારે કોલસા વેગન માટે પ્રાથમિકતાવાળા રૂટ પરની 657 ટ્રેનો રદ કરવાનો અને તેમની ઝડપી અવરજવર સુનિશ્ચિત કરવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેનોમાં મેલ, એક્સપ્રેસ અને પેસેન્જર ટ્રેનોનો સમાવેશ થાય છે. કુલ 533 કોલ રેક ફરજ પર મૂકવામાં આવ્યા છે. પાવર સેક્ટર માટે ગઈકાલે 437 રેક લોડ કરવામાં આવ્યા હતા અને આ સેક્ટર માટે 16.20 લાખ ટન કોલસો લોડ કરવામાં આવ્યો છે.
Government has decided to cancel 657 Mail/Exp/Passenger train services to ensure priority routes for coal wagons and faster turnaround. A total of 533 coal rakes put on duty. For the power sector, 427 rakes loaded yesterday. 1.62 million tonnes loaded for power sector. pic.twitter.com/UbCho8Tzsi
માત્ર દિલ્હીમાં જ નહીં, વધુ 12 રાજ્યોમાં પણ કોલસાની અછત
કાળઝાળ ગરમી અને કોલસાની અછતના કારણે દેશના 13 રાજ્યો હાલમાં વીજ સંકટનો સામનો કરી રહ્યાં છે. જેમાં ઉત્તર પ્રદેશ, દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડ, મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાંથી વીજ સંકટના અહેવાલો સામે આવી રહ્યાં છે. ભારતમાં ગયા અઠવાડિયે જ 623 મિલિયન યુનિટ પાવરની અછત સર્જાઈ છે. આ સમગ્ર માર્ચ મહિનાની ઘટ કરતાં વધુ છે.
ગુરુવારે ભારતમાં વીજળીની માંગ 201 ગીગાવોટ પર પહોંચી ગઈ હતી. તો આ સાથે આ સમયગાળા દરમિયાન સમગ્ર દેશમાં 8.2 GW નો ઘટાડો પણ નોંધવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આવનારા સમયમાં ભારતમાં વીજળીનું સંકટ વધુ ઘેરી બની શકે છે.