સરકાર ભલે પોતાની તમામ યોજનાઓ દ્વારા રોજગાર અવસર વધારવાનો દાવો કરી રહી હોય, પરંતુ એવું થઇ રહ્યું હોય તેવું દેખાઇ રહ્યું નથી. સરકાર તરફથી સંસદમાં રજૂ કરવામાં આવેલા આંકડાઓ મુજબ આ વર્ષે સરકારી યોજનાઓથી રોજગારી સર્જનના આંકડા ગતવર્ષની સરખામણીએ ઓછા રહી શકે છે.
2018-19માં સરકારી સ્કીમથી 5.9 લાખ રોજગારની તક ઉભી થઇ
રોજગારી સર્જનને લઇને કેન્દ્ર સરકારની ફલેગશિપ સ્કીમ પ્રધાનમંત્રી રોજગારી સર્જન કાર્યક્રમ (PMEGP) અને રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશનના અપેક્ષિત પરિણામ જોવા મળી રહ્યાં નથી. કેન્દ્રીય શ્રમ તેમજ રોજગાર મંત્રી સંતોષ ગંગવાર તરફથી રજૂ કરવામાં આવેલા આંકડાઓ મુજબ 2018-19માં સરકારી સ્કીમથી 5.9 લાખ રોજગારની તક ઉભી થઇ.
જ્યારે હાલના નાણાંકીય વર્ષમાં આ આંકડાઓ 31 ડિસેમ્બર સુદી 2.6 લાખ સુધી પહોંચી હતી. એનો મતલબ એ છે કે 3 મહિના એટલે કે માર્ચ સુધી તેના ગત વર્ષના સ્તર સુધી પહોંચવાની શક્યતા નથી. 2017-18 ની વાત કરીએ તો સરકારી સ્કીમમાંતી 3.9 લાખ લોકોને રોજગાર મળ્યો હતો.
2014 થી અત્યાર સુધીની સૌથી ખરાબ પ્રદર્શન
ખરેખર પ્રધાનમંત્રી રોજગાર સર્જન યોજના કોઇપણને સીધી નોકરી આપવાની સ્કીમ નથી. આ ક્રેડિટ લિંક્ડ સબસિડી પ્રોગ્રામ છે, જેનું સંચાલન લઘુ તેમજ મધ્યમ ઉદ્યોગ મંત્રાલય તરફથી ચલાવામાં આવી રહ્યો છે. ખાદી ગ્રામદ્યોગ આયોગની મદદથી ચાલનારી આ સ્કીમથી મળનારી રોજગારોની સંખ્યા હાલના નાણાંકીય વર્ષમાં 2014થી સૌથી ઓછી છે.
આસામ અને જમ્મૂ-કાશ્મીરમાં સૌથી કમજોર પ્રદર્શન
રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશનની વાત કરીએ તો આ સ્કીમ હેઠળ ફાઇનાન્સિયલ વર્ષ 2018-19માં 1.8 લાખલોકોને રોજગાર મળ્યો હતો, પરંતુ હવે આ વર્ષે જાન્યુઆરી સુધીના આંકડાઓ મુજબ માત્ર 44,000 હજાર લોકોને જ ફાયદો મળી શક્યો છે. પ્રધાનમંત્રી રોજગારી સર્જન યોજના હેઠળ 2017-18માં 1,15,416 લોકોને રોજગારીની તક મળી હતી.
જ્યારે 2016-17માં આ આંકડા 1,51,901 હતો. આ સ્કીમના લાભાર્થીઓની સંખ્યામાં સોથી ભારે ઘટાડો આસામ અને જમ્મૂ-કાશ્મીરમાં થયો. તે સિવાય રાષ્ટ્રિય શહેરી આજીવિકા મિશનની વાત કરીએ તો ગુજરાત અને મધ્ય પ્રદેશમાં તેનુ પ્રદર્શન સૌથી કમજોર રહ્યું.