મોદી સરકારે પસાર કરેલા ખેડૂત કાયદાનો વિરોધ સમગ્ર દેશમાં થઈ રહ્યો છે. સંસદમાં વિરોધ કરી રહેલા સાંસદોને નિલંબિત કરવાના મુદ્દે પણ જ્યાં રાજનીતિ તેજ થઈ ગઈ છે, ત્યારે હાલમાં આ ખેડૂત બિલ ના મુદ્દે વિરોધ હવે સંસદ ની સીમા ઓળંગીને સડક સુધી પહોંચી ગયો છે.
મોદી સરકારે પસાર કરેલા ખેડૂત કાયદાને લઈને ભડક્યા છે ખેડૂતો
ઉત્તર ભારતમાં ખાસ કરીને પંજાબ ને હરિયાણામાં ખેડૂતો કરી રહ્યા છે વિરોધ
હરિયાણા ના અંબાલામા વિરોધ કરેલા ખેડૂતો પર વોટર કેનનનો ચલાવ્યો મારો
હરિયાણાના અંબાલામાં ખેડૂતો એ જ્યાં આ મુદ્દે વિરોધ કરતાં ચક્કાજામ કર્યો હતો, ત્યારે તેમને હટાવવા માટે તંત્રે બળપ્રયોગ કરતા વોટર કેનન નો મારો ચલાવ્યો હતો.
સરકાર પસાર કરાવી ચૂકી છે ત્રણ ખેડૂત બિલ
કેન્દ્ર સરકાર હાલમાં દેશમાં કૃષિ ક્ષેત્રે બદલાવ લાવવા માટે ત્રણ નવા બિલ લાવી હતી, આ બિલની વિભિન્ન જોગવાઈઓને લઈને જ્યાં વિપક્ષ આ કાયદાઓનો આકરો વિરોધ કરી રહ્યો છે, તેટલે સુધી કે સંસદે પસાર કરેલા આ બિલ પર સહી ન કરવા મુદ્દે વિપક્ષ તો ખરું જ સાથે જ NDA ગઠબંધનમાં સ્થાન ધરાવતાં શિરોમણી અકાલી દળ ના નેતાઓ પણ રાષ્ટ્રપતિને અનુરોધ કરવા પહોંચી ગયા હતા.
Ambala: Haryana Police use water cannon to disperse Lok Insaf Party workers protesting against farm Bills pic.twitter.com/b22UR4zPRf
આ મુદ્દે હવે આ વિરોધ સંસદ થી આગળ વધીને હવે સડક સુધી પહોંચી ગયો છે. હરિયાણા અને પંજાબ માં આ મુદ્દે ખેડૂતો પહેલાથી જ સરકારની સામે બાંયો ચઢાવીને ઉભા છે. કંઇક આવો જ એક પ્રસંગ આજે હરિયાણા ના અંબાલામાં પણ બનવા પામ્યો હતો. જ્યાં ખેડૂતોએ એક રસ્તા પર ચક્કાજામ કરીને ટ્રાફિકને અવરોધ્યો હતો, અને સરકારે પસાર કરેલા આ કાયદાઓ વિરુદ્ધ પોતાનો આક્રોશ જાહેર કર્યો હતો.
જો કે હરિયાણા માં હાલમાં ભાજપની સરકાર છે અને આ સરકારમાં ત્યાની ક્ષેત્રીય પાર્ટી જનનાયક જનતા પાર્ટી પણ ભાગીદાર છે. આ પાર્ટી પર પણ હાલમાં ખેડૂત બિલ ના મુદ્દે ગઠબંધનમાંથી નીક્લીજવાનું ભારે દબાણ હતું, કેમ કે પંજાબ , હરિયાણા , ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં ખેડૂત રાજકારણ ખુબ જ સંવેદનશીલ માનવામાં આવે છે. એટલે આ આંદોલન અને આ વિરોધ વધુ ભડકીને ન ફેલાય તે માટે સરકાર દ્વારા ખેડૂતો પર બળપ્રયોગ કરીને વોટર કેનન નો મારો ચલાવ્યો હતો.