એક વિશેષજ્ઞ સમિતિએ 2થી 17 વર્ષના બાળકો પર ‘કોવોવેક્સ’ રસીના બીજા અને ત્રીજા ચરણના પરિક્ષણને કેટલીક શરતો સાથે પરવાનગી આપવાની ભલામણ કરી.
2થી 17 વર્ષના બાળકો પર ‘કોવોવેક્સ’ના બીજા અને ત્રીજા ચરણના પરિક્ષણ થશે
વિશેષજ્ઞ સમિતિએ કરી ભલામણ
પરિક્ષણમાં 10 જગ્યાઓ પર 920 બાળકો સામેલ થશે
2થી 17 વર્ષના બાળકો પર ‘કોવોવેક્સ’ના બીજા અને ત્રીજા ચરણના પરિક્ષણ થશે
કોરોનાની વિરુદ્ધ બાળકો માટે રસીની દિશામાં એક પગલુ વધારે આગળ વધ્યા છીએ. કેન્દ્રીય ઔષધિ પ્રાધિકરણની એક વિશેષજ્ઞ સમિતિએ સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા(એસઆઈઆઈ)ને 2થી 17 વર્ષના બાળકો પર ‘કોવોવેક્સ’ રસીના બીજા અને ત્રીજા ચરણના પરિક્ષણને કેટલીક શરતો સાથે પરવાનગી આપવાની મંગળવારે ભલામણ કરી છે. સત્તાવાર સૂત્રોએ આ જાણકારી આપી છે. પરિક્ષણમાં 10 જગ્યાઓ પર 920 બાળકો સામેલ થશે. જેમાં 12-17 અને 2-11 વર્ષના બાળકોના પ્રત્યેક વર્ગના 460 બાળકો સામેલ કરવામાં આવશે.
વિશેષજ્ઞ સમિતિએ કરી ભલામણ
એક સૂત્રએ કહ્યું કે સીડીએસસીઓની કોવિડ 19 પર વિષય વિશેષજ્ઞ સમિતિ (એસઈસી)એ મંગળવારે એસઆઈઆઈ દ્વારા આપવામાં આવ્યા સંશોધિત અધ્યયન પ્રોટોકોલ આવેદન પર વિચાર કર્યો અને બેથી 17 વર્ષના બાળકો પર કોવોવેક્સના બીજી અને ત્રીજા ચરણના પરિક્ષણ માટે ફર્મને પરવાનગી આપવાની ભલામણ કરી છે.
પરિક્ષણમાં બાળ ચિકિત્સા દળને સામેલ કરવા પ્રોટોકોલ પ્રસ્તુત કર્યો
પૂણેની દવા કંપનીએ રસીન સુરક્ષા અને પ્રતિરક્ષણ ક્ષમતાનું નિર્ધારણ કરવા માટે 18 વર્ષ અને તેનાથી વધારે ઉમંરના ભારતીય વયસ્કોમાં ચાલી રહેલા કોવોવેક્સના ચરણ 2અને 3 નિયંત્રત અધ્યયનમાં બાળ ચિકિત્સા દળને સામેલ કરવા માટે એક સંશોધિત પ્રોટોકોલ પ્રસ્તુત કર્યો હતો. ગત વર્ષ પ્રસ્તુત સંશોધિત આવેદનમાં, એસઆઈઆઈના નિર્દેશક પ્રકાશ કુમાર સિંહ અને નિર્દેશક ડો. પ્રસાદ કુલકર્ણીએ આની જાણકારી આપી હતી.
દેશમાં મહામારીની ત્રીજી લહેર બાળકોને અસર કરશે
આ બન્નેએ કહ્યુ હતું કે વિશ્વ સ્તર પર 18 વર્ષ અને તેનાથી વધારે ઉંમરના તમામ લોકોનું રસીકરણ કરવામાં આવી રહ્યું છે અને તે બાદ લોકોને કોરોનાની વિરુદ્ધ સુરક્ષિત કરવામાં આવી રહ્યા છે અને બાળકોને અતિસંવેદનશીલ ગ્રુપમાં બનેલા રહ્યા છે. તેમને પત્રમાં કહ્યું કે સંવેદનશીલ બાળકોના મોત સહિત ગંભીર બિમારીના સમાચાર આવ્યા છે. એમ પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે દેશમાં મહામારીની ત્રીજી લહેર બાળકોને અસર કરે છે.
તમામને ગંભીર બિમારીનો ખતરો બનેલો
આમાં કહેવામાં આવ્યું છે કે આ ઉપરાંત જ્યાં સુધી બાળકો સહિત તમામ વર્ષના ગ્રુપનું રસીકરણ નથી કરવામાં આવતું ત્યાં સુધી સાર્સ સીઓવી -2 વાયરસનો કેર બની રહેશે. જેનાથી તમામને ગંભીર બિમારીનો ખતરો બનેલો છે. એસઆઈઆઈએ કહ્યું કે આ તમામને ધ્યાનમાં રાખતા અનેક કંપનીઓના બાળકોમાં કોવિડની રસીને સુરક્ષા અને પ્રતિરક્ષાત્મક્તાનું મૂલ્યાંકન કરવાનું શરુ કર્યુ હતુ.