સરકારે પીએમ કિસાન સમ્માન નિધિ યોજના 2022માં મોટો બદલાવ કર્યો છે જેની અસર 12 કરોડથી અધિક રજિસ્ટર્ડ ખેડૂતો પર પડશે.
પીએમ કિસાન યોજનામાં બદલાવ
હવે ખેડૂતોને નહિ મળે આ સુવિધા
કરોડો ખેડૂતો પર પડશે અસર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં નવા વર્ષના પહેલા દિવસે 10 માં હપ્તાના 2000 રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. હવે સરકારે પીએમ કિસાન સમ્માન નિધિ યોજના 2022માં મોટો બદલાવ કર્યો છે જેની અસર 12 કરોડથી અધિક રજિસ્ટર્ડ ખેડૂતો પર પડશે. અસલમાં, આવે ખેડૂતોને આવતા હપ્તા માટે અમુક ડોક્યુમેન્ટ અપલોડ કરવા પડશે, નહીતર તેમને આવતો હપ્તો નહિ મળે. આ ઉપરાંત ખેડૂતોને આ યોજના હેઠળ મળવાવાળી એક મોટી સુવિધા પણ છીનવી લેવાઈ છે.
યોજનામાં બદલાવ
કેંદ્ર સરકારે પીએમ કિસાન યોજનામાં બાદલાવ કર્યા છે. અત્યાર સુધી ખેડૂતો રજીસ્ટ્રેશન બાદ પોતાના સ્ટેટસ, આવેદનની સ્થિતિ શું છે, બેંક અકાઉન્ટમાં કેટલા પૈસા આવ્યા છે તથા ક્યારે આવ્યા છે વગેરે ખુદ ચેક કરી શકતા હતા. પરંતુ, હવે ખેડૂત આવું નહિ કરી શકે. અત્યાર સુધી કોઈપણ ખેડૂત પીએમ કિસાન પોર્ટલ પર જઈને પોતાનો આધાર નંબર, મોબાઈલ કે અકાઉન્ટ નંબર કે પોતાના હપ્તાનું સ્ટેટસ જાણી શકતો હતો. પરંતુ હવે ખેડૂત પોતાના મોબાઈલ નંબરના માધ્યમથી આ સ્ટેટસ નહિ જાણી શકે. હવે ખેડૂત માત્ર પોતાના આધાર તથા બેંક અકાઉન્ટના માધ્યમથી જ સ્ટેટસ ચેક કરી શકશે.
શા માટે થયો બદલાવ?
જોકે, આનાથી ખેડૂતો પર જરૂર અસર પડશે. પહેલા ખેડૂતને મોબાઈલ નંબરથી સ્ટેટસ ચેક કરવામાં સરળતા રહેતી હતી જેથી નુકસા પણ થઇ રહ્યા હતા. અસલમાં, ઘણા લોકો કોઈપણ મોબાઈલ નંબરથી સ્ટેટસ ચેક કરી લેતા હતા તથા ઘણી વખત બીજા લોકો પણ જાણકારી મેળવી લેતા હતા. આ પ્રકારની હરકતોને રોકવા માટે સરકારે આ નિર્ણય લીધો છે. આ ઉપરાંત પહેલા જ આ યોજનામાં કેવાયસી અનિવાર્ય કરાયું છે.
જાણો પ્રોસેસ
આધાર આધારિત ઓટીપી પ્રમાણીકરણ માટે ખેડૂત કોર્નરમાં 'ઈકેવાયસી' વિકલ્પ પર ક્લિક કરે.
બાયોમેટ્રિક પ્રમાણીકરણ માટે નજીકના સીએસસી કેન્દ્રોનો સંપર્ક કરો.
તમે ઘરે બેઠા જ પોતાના મોબાઈલ, લેપટોપ અથવા કમ્પ્યુટરની મદદથી આ કાર્ય કરી શકો છો.
આ માટે સૌથી પહેલા તમે https://pmkisan.gov.in/ પોટલ પર જાઓ.
જમણા હાથે તમને આ પ્રકારના ટેબ્સ મળશે. સૌથી ઉપર e-KYC લખેલું મળશે. તેના પર ક્લિક કરો.
પોતાના હપ્તાનું સ્ટેટસ ચેક કરો
હપ્તાનું સ્ટેટસ જોયા બાદ સૌથી પહેલા પીએમ કિસાનની વેબસાઈટ પર જાઓ.
હવે રાઈટ સાઈડમાં ફાર્મસ કોર્નર પર ક્લિક કરો.
ત્યાર બાદ તમે બેનેફિશિયરી સ્ટેટસ ઓપ્શન પર ક્લિક કરો.
હવે નવું પેજ ખુલશે.
અહી તમે તમારો આધાર નંબર કે બેંક અકાઉન્ટ નાખો.
ત્યાર બાદ તમને પોતાના સ્ટેટસની પૂરી જાણકારી મળી જશે.
આ ડોક્યુમેન્ટ અનિવાર્ય
આ યોજના હેઠળ હવે નવા રજીસ્ટ્રેશન માટે પોર્ટલ પર રાશન કાર્ડ નંબર આપવો અનિવાર્ય છે. આ ઉપરાંત તેનું પીડીએફ પણ અપલોડ કરવું પડશે. હવે આધાર કાર્ડ, બેંક પાસબુક તથા ઘોષણાપત્રની હાર્ડકોપી જમા કરવાની અનિવાર્યતા સમાપ્ત થઇ ગઈ છે. હવે ડોક્યુમેન્ટસ ના પીડીએફ ફાઈલ પોર્ટલ પર અપલોડ અર્વા પડશે, જેથી પીએમ કિસાન યોજનામાં રજીસ્ટ્રેશન પહેલા કરતા સરળ બનશે.
શું છે પીએમ કિસાન યોજના
ધ્યાન આપવાવાળી બાબત છે કે પીએમ કિસાન સમ્માન નિધિ સ્કીમ હેઠળ લાભાર્થી ખેડૂત પરિવારોને દર વર્ષે 6,000 ઉપીયા સીધા ખેડૂતના ખાટામાં મોકલાય છે, જે 2,000 રૂપિયાના ત્રણ સમાન હિસાઓમાં આપવામાં આવે છે. આ હેઠળ ખેડૂતોના ખાતામાં 10 હપ્તા મોકલાઈ ચુક્યા છે. જો તમારા ખાતામાં અત્યાર સુધી પૈસા ટ્રાન્સફર નથી થયા તો સૌથી પહેલા પોતાનુસ્તેતાસ તથા બેંક અકાઉન્ટ ચેક કરો.