નાણાંમંત્રાલયે વાયરસ સંક્રમણના સમયે સેવા ચાલુ રાખવા માટે બેંક કર્મચારીઓની પ્રશંસા કરી છે. મળતી માહિતી અનુસાર બેંકોએ પોતાના કર્મચારીઓને માટે વિશેષ રીતે ડોક્ટર્સની નિમણૂંક કરી છે.
સરકારે લીધો મોટો નિર્ણય
ડોક્ટર્સ બાદ બેંક કર્મીઓ માટે લેવાયો આ નિર્ણય
બેંક કર્મીઓ માટે કરવામાં આવી ડોક્ટર્સની નિમણૂંક
નાણામંત્રાલયે કહ્યું કે સરકારી બેંકોએ પોતાના કર્મચારીઓમાં કોઈનું કોરોના વાયરસથી મૃત્યુ થાય તો તે સ્થિતિમાં તેમને 20 લાખ રૂપિયાનો વીમો આપવાનું નક્કી કર્યું છે. મંત્રાલયે વાયરસ સંક્રમણના સમયે સેવા ચાલુ રાખવા માટે બેંકના વખાણ કર્યા છે. મળતી માહિતી અનુસાર બેંકોએ પોતાના કર્મચારીઓને માટે વિશેષ રીતે ડોક્ટર્સની નિમણૂંક કરી છે. સાથે જ હેલ્પલાઈન પણ બનાવી છે.
નાણામંત્રાલયે કર્યું ટ્વિટ
આ મુશ્કેલ સમયમાં દેશભરમાં સેવાઓ પૂરી પાડવા માટે દરેક બેંક કર્મચારીઓને અભિનંદન. સરકારી કર્મચારીઓને કોરોના વાયરસ સહિત વીમા સ્વાસ્થ્ય સુરક્ષા પણ મળશે. સાથે જો કોઈનું દુર્ભાગ્ય વશ મોત થાય છે તો આ સ્થિતિમાં તેને 1 લાખ રૂપિયાની રાશિ પણ મળશે.
20 લાખનું વળતર
સૂત્રોએ જણાવ્યું હતું કે બેંક કર્મચારીઓના હિતને ધ્યાનમાં રાખીને, બેંકોએ તેમના પોતાના વીમા ઉત્પાદનોની રચના કરી છે. કોરોના વાયરસથી મૃત્યુની સ્થિતિમાં કર્મચારીના સબંધીઓને 20 લાખ રૂપિયા સુધીનું વળતર આપવામાં આવી શકે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે બેંક કર્મચારીઓની સેવા ચાલુ રાખવાની પ્રશંસા કરી છે.
નાણામંત્રીએ કરી હતી આટલા રૂપિયાના વળતરની જાહેરાત
આ અગાઉ નાણામંત્રીએ જાહેરાત કરી હતી કે કોરોના વાયરસ જેવા રોગચાળા સામે લડનારા ડોકટરો, પેરામેડિક્સ, નર્સો, 'આશા' વર્કસ અને સેનિટેશન કામદારોને 50 લાખનું વીમા કવર મળશે. નાણાંમંત્રીએ કહ્યું કે આ યોજનાથી દેશભરના 20 લાખ આરોગ્ય વ્યવસાયિકો અને કર્મચારીઓને લાભ થશે. ઉલ્લેખનીય છે કે નાણાંમંત્રી નિર્મલા સીતારમણમે ગરીબો અને કામદારોને માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાના આધારે 1.7 લાખ કરોડ રૂપિયાના રાહત પેકેજની પણ જાહેરાત કરી હતી.