દેશમાં સરકાર નવા મતદાતાઓ માટે એક મહત્વનો નિર્ણય લેવા જઈ રહી છે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા UIDAIની પાસે મંજૂરી માટે પ્રસ્તાવ મોકલ્યો
કેન્દ્ર સરકારે UIDAIની પાસે મંજૂરી માટે પ્રસ્તાવ મોકલ્યો
દેશમાં ટૂંક જ સમયમાં નવા મતદારોના રજિસ્ટ્રેશન માટે આધાર કાર્ડના ડેટાનો ઉપયોગ કરાશે. જેના માટે કેન્દ્ર સરકારે UIDAIની પાસે મંજૂરી માટે પ્રસ્તાવ મોકલ્યો છે. કાયદા મંત્રાલય મુજબ આધાર કાર્ડ વેરિફિકેશનથી અન્ય સેવાઓ ઝડપી કરી શકાય છે.
સરકારે UIDAIની પાસે માંગી મંજૂરી
સુશાસનના હિતમાં છે આ નિયમો
EPIC અથવા વોટર સ્લિપને ડાઉનલોડ કરવા માટે ટૂંક જ સમયમાં આધારના નિયમો હેઠળ લવાશે. આ નિયમ ગત વર્ષે 5 ઓગસ્ટે ઈલેક્ટ્રોનિક્સ અને સૂચના મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં આધાર વેરિફિકેશન માટે સુશાસનના હિતમાં, પબ્લિક ફંડને ખોટી રીતે ઉપયોગ થતાં અટકાવવા, લોકોને સરળતાથી સેવાઓ પહોંચાડવાનો ઉલ્લેખ કરાયો હતો. જેના કારણે આધારના ડેટાનો ઉપયોગ કરવા માટે સંસ્થાને કેન્દ્ર સરકારે પ્રસ્તાવ મોકલવાનો હોય છે. UIDAIને કાયદા મંત્રાયલે પત્ર મોકલ્યો હતો. ઓગસ્ટ 2019માં પંચે કાયદા સચિવને RP એક્ટ અને આધાર એક્ટમાં સંશોધન માટે પ્રસ્તાવ મોકલ્યો હતો. જો બન્ને વચ્ચે સહમતિ થશે તો આધારની સાથે વોટર કાર્ડને જોડવાની પ્રક્રિયા જનપ્રતિનિધિત્વ એક્ટ, 1950 અને આધાર એક્ટ 2016માં સંશોધન કર્યા વગર શરૂ થઈ શકે છે.
સુશાસનના હિતમાં આ નિયમો
સરકારનું કહેવું છે કે ઈ-ઈપીઆઈસી એટલે કે ઈલેક્ટ્રોનિક ઈલેક્ટ્રોર્સ ફોટો આઈડેન્ટિટી કાર્ડ અથવા વોટર સ્લિપ ડાઉનલોડ કરવાથી ટૂંક સમયમાં આધાર નિયમો હેઠળ લાવવામાં આવી શકે છે. આ નિયમો ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય દ્વારા ગયા વર્ષે 5 ઓગસ્ટના રોજ સૂચિત કરવામાં આવ્યા હતા. તેમાં કહેવામાં આવ્યું છે કે, આધાર ચકાસણી, જાહેર ભંડોળનો બગાડ અટકાવવા, લોકોનું જીવન સરળ બનાવવા અને સેવાઓ સુધી તેમની સારી પહોંચ માટે આ નિયમો સુશાસનના હિતમાં છે.
આવા કાર્યો માટે આધારનો ઉપયોગ કરવા ઈચ્છતી સંસ્થાએ કેન્દ્ર સરકારને દરખાસ્ત મોકલવી પડશે, જે તેને UIDAI ને મોકલે. UIDAI ને કાયદા મંત્રાલયનો પત્ર ચૂંટણી પંચના આદેશ પર મોકલવામાં આવ્યો હતો અને સૂચિત આધાર નોંધણી સ્વેચ્છાએ ઉપલબ્ધ કરાવાશે,
ઓગસ્ટ 2019 માં, પંચે કાયદા સચિવને પત્ર લખીને મતદારોની યાદી સુધારવા માટે આધાર ડેટા એકત્રિત કરવા અને તેનો ઉપયોગ કરવા માટે આરપી એક્ટ અને આધાર એક્ટમાં સુધારાની દરખાસ્ત કરી હતી.જો UIDAI અને સરકાર વચ્ચે કોઈ કરાર હોય તો, જન પ્રતિનિધિત્વ અધિનિયમ, 1950 અને આધાર અધિનિયમ, 2016 માં સુધારાની જરૂર વગર મતદાર કાર્ડને આધાર સાથે જોડવાની પ્રક્રિયા શરૂ થઈ શકે છે.