ભારે અસમંજર બાદ રથયાત્રાને રાજ્ય સરકારની સત્તાવાર મંજૂરી મળી, આ વખતે કોરોના ગાઈડલાઈન સાથે નીકળશે ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા
રથયાત્રરાને લઈ સરકારની સત્તાવાર જાહેરાત
શહેરમાં કોરાના ગાઈડલાઈન સાથે નીકળશે રથયાત્રા
ભગવાનની રથયાત્રાનું જીવંત પ્રસારણ જોઈ શકાશે
રથયાત્રાને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે રાજ્યમાં રથયાત્રાને લઈ અસમંજસની સ્થિતિ જોવા મળી રહી હતી ત્યારે આ વખતે રથયાત્રા યોજાશે તે નહીં તેની અટકળોનો અંત આવ્યો છે, રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ યોજી હતી જેમાં તેમને જણાવ્યું હતું કે કોરોનાની સ્થિતિને લઈ ગયા વર્ષે રથયાત્રા નીકળી શકી નહોતી તેમજ કોર્ટના કહેવાથી રથયાત્રા કાઢી શક્યા નહોતા પરતું હવે સ્થિતિ કાબૂમાં જણાઈ રહી છે.
રથયાત્રરાને લઈ સરકારની સત્તાવાર જાહેરાત
રથયાત્રાને લઈ રાજ્યગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે રથયાત્રા સાથે લોકોની આસ્થા જોડાયેલી છે,ત્યારે કોરોનાની ગાઈડ લાઈન સાથે આ વખતે રથયાત્રા યોજવા માટે સરકારે સત્તાવાર કરી છે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ યોજી જણાવ્યું કે રથયાત્રાના રથ પરત ન આવે ત્યા સુધી કર્ફ્યૂનો અમલ રહેશે, સમગ્ર રથયાત્રા દરમિયાન તેનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે તમામ ચેનલો પર તેનું પ્રસારણ કરવામાં આવનાર છે તેવું રથયાત્રાના દિવસે મંગળા આરતી માટે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાત આવશે અને મંગળા આરતીમાં ભાગ લેશે.
રોડ પર આવી ને દર્શન કરી શકશે નહીં
રથયાત્રામાં સમુહ ભોજનનું આયોજન પણ નહીં થાય. કોઈ એ રોડ પર આવી ને દર્શન કરી શકશે નહીં. લાઈવ કવરેજ નિહાળવા જ લોકોને અપીલ કરવામાં આવી છે 5 જેટલા જ વાહનો યાત્રામાં રહેશે. ખલાસીઓનાં 48 કલાક પહેલા કોરોનાં ટેસ્ટ કરવામાં આવશે રથ ઉપર પણ પૂજારી જ હાજર રહી શકશે. કોરાના ગાઈડ લાઈન સાથે ફેસ કવર માસ્કનું પાલન કરવાનું રહેશે. ગજરાજ અખાડાઓ ભજન મંડળી ને પરવાનગી નથી. રથયાત્રા પહેલા સીએમ મંદિર જઇને સાંજે આરતી કરશે. રથયાત્રા નાં રૂટ પર નાં 7 પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરફ્યૂ રહેશે. પુર્વ અને પશ્ચિમ બન્ને વચ્ચેનાં બ્રિજ પર વાહન વ્યવહાર નિયંત્રિત કરાશે. સરસપૂરમા ભોજન આયોજન નહીં થઈ શકે તેમજ રથયાત્રાના રૂટ પરથી રથયાત્રા 4 કલાકમાં નિયત સ્થળે પરત ફરશે અને રથયાત્રા પુર્ણ થશે.
રથયાત્રાનું જીવંત પ્રસારણ જોઈ શકાશે
આ વખતે યોજાનાર રથયાત્રાને શરતો સાથે યોજવા માટે સરકારે મંજૂરી આપી છે, જેમાં રથયાત્રાનું લાઈવ પ્રસારણ પણ કરવામાં આવનાર છે, ઉલ્લેખનિય છે કે આવખતની રથયાત્રામાં હાથ, ટ્રક, અખાડાઓને અને ભજન મંડળીઓને મંજૂરી આપવામાં આવી નથી, તેમજ સવાર પંહિંદવિધિ બાદ રથયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવશે, ઉલ્લેખનિય છે કે રથયાત્રામાં રથ પરત ન આવે ત્યાં સુધી સમગ્ર શહેરમાં કર્ફયૂ રહેશે. સમાચાર માધ્યમોથી રથયાત્રાનું જીવંત પ્રસારણ જોઈ શકાશે
પહિંદવિધિ બાદ સવારે રથ નિજ મંદિરથી પ્રસ્થાન કરશે
હવે જ્યારે રથયાત્રને સરકારની મંજૂરી મળી ગઈ છે રથયાત્રાના આયોજની તૈયારીઓને પણ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, જો કે રથયાત્રાને લઈ પહેલાથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી હવે જ્યારે એની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જેના ભાગ રૂપે આગોતરી જાણકારી આપવામાં આવી છે. રથયાત્રાની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી નિજ મંદિર ખાતે આરતીમાં કરશે, ત્યારે બાદ સવારે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ સવારે મંગળા આરતીમાં ભાગ લેશે પહિંદવિધિ બાદ સવારે રથ નિજ મંદિરથી પ્રસ્થાન કરશે.
ભક્તો રોડ પર આવીને દર્શન નહીં કરી શકે
શહેરમાં 19 કિ.મી રથયાત્રાના રૂપ પર આવતા તમામ વિસ્તારોમાં કર્ફ્યૂ લગાડવામાં આવશે જેથી ભક્તો રોડ પર આવીને દર્શન નહીં કરી શકે તેમજ અમદાવાદની રથયાત્રા સાથે 7 પોલીસ સ્ટેશનનો વિસ્તાર સંકળાયેલો છે જેથી 7 પોલીસ સ્ટેશન વિસ્તારમાં કર્ફ્યૂ રહેશે. સવારે 4થી 5 કલાકમાં રથ નિજ મંદિર પરત ફરે ત્યાં સુધી એટલા સમય પૂરતો કર્ફ્યૂ રહેશે. સવારના 7 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી કર્ફયૂ લગાવવામાં આવશે, જેમાં સ્થાનિક પોલીસ સાથે SRPની 20 ટૂકડીઓ ડિપ્લોય કરી દેવમાં આવી છે, રથયાત્રાના રથ નિજ મંદિરમાં પરત ફરતા જ કર્ફ્યૂમાંથી મૂક્તિ આપવામાં આવશે.
કર્ફ્યૂના નિયમોનું પાલન કરવા માટે મહંત દિલીપદાજીએ અપીલ
અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા રાજ્ય સરકારે રથયાત્રાને મંજૂરી આપી છે. ત્યારે જગન્નાથ મંદિરના મહંત દિલીપ દાસજીએ કહ્યું કે રાજ્ય સરકારે કોરોના નિયમ મુજબ રથયાત્રા કાઢવા મંજૂરી આપી છે. આ સમાચાર સાંભળી ખુશી થાય છે કે નાથ નગરચર્યાએ નીકળશે ત્યારે નગરજનોને કર્ફ્યૂના નિયમોનું પાલન કરવા માટે દિલીપદાજીએ અપીલ કરી છે અને ટીવીના માધ્યમથી ભગવાનના દર્શન કરવા કહ્યું છે. મંદિર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. રથયાત્રાને મંજૂરી મળતા હવે ભક્તોમાં પણ ખુશી જોવા મળી રહી છે.