સરકારે કરેલ જાહેરાત પછી પણ ખાતરના ભાવમાં કોઈ ખાસ ઘટાડો થયેલ નથી. હાલ પણ ખાતર 1450 રૂપિયા જેટલા તોતિંગ ભાવ વધારા સાથે મળી રહ્યા છે જેને લઈ ને ખેડૂતોમાં અસંતોષ
સરકારી જાહેરાત પોકળ થઇ સાબિત
ખાતરમાં ભાવ ઘટાડાની હતી જાહેરાત
ઘટાડાના બદલે થયો ચુપચાપ વધારો
સરકારની ખાતરના ભાવ ઘટાડાની જાહેરાત પોકળ સાબિત થઇ રહી છે સરકારે કરેલ જાહેરાત પછી પણ ખાતરના ભાવમાં કોઈ ખાસ ઘટાડો થયેલ નથી, અને હાલ પણ ખાતર 1450 રૂપિયા જેટલા તોતિંગ ભાવ વધારા સાથે મળી રહ્યા છે જેને લઈ ને ખેડૂતો માં અસંતોષ જોવા મળી રહ્યો છે, હાલ રવિ સીઝન શરુ થઇ ગઈ છે અને ખેડૂતો ને નવા પાક નું વાવેતર કરવા નો પાકો સમય છે ત્યારે જ સરકાર દ્વારા ખાતર નો ભાવ વધારતા ખેડૂતો માં એક અસંતોષ જોવા મળી રહયો છે.
નવા વાવેતર માટેનું ખાતર ઉપલબ્ધ નથી
ખેડૂતોને હાલ NPK ખાતરની ખુબજ જરૂર હોય છે અને તેના વગર પાકનું નવું વાવેતર કરવું તે શક્ય નથી ત્યારે જ સરકારે ચુપચાપ ખાતર ના ભાવ વધારતા ખેડૂતો ની હાલત દયનિય થઇ ગઈ છે, હાલ NPK ખાતર ના 1450 રૂપિયા ની બોરી વેચાઈ રહી છે જે જુના ભાવ કરતા ખેડૂતો ને 250 થી 300 રૂપિયા જેટલા વધુ છે, હાલ ના સમયે જે વરસાદ ને લઈ ને ખેડૂતો નો કપાસ ની હાલત પણ ખુબજ દયનિય છે અને નબળો પાક છે ત્યારે ખાતર છાંટવું અને પાક ને ખાતર આપવું તે ખેડૂતો માટે ખુબજ જરૂરીછે ત્યારે ખાતર ના ભાવ ના ભાવ વધારીને ખેડૂતોની મજબૂરીનો લાભ લેતા હોય તેવો આક્ષેપ ખેડૂતો અને ખેડૂત નેતાઓ કરી રહ્યા છે, જયારે આ બાબતે ખાતર વેંચતા સરકારી ડેપો અને સહકારી મંડળી ઓ તો સરકારના પરિપત્રોને આધારે જ ભાવ લે છે તેવું જણાવી રહ્યા છે અને જો સરકાર નવા ભાવે જ વેચાણ કરવા ની સૂચના આપે તો વેચાણ નવા ભાવે થાય તે ચોક્કસ છે.
વધુ ભાવ છતાં ખાતર જ નથી
હાલ તો સરકારે કરેલ ભાવ ઘટાડાની જાહેરાત પોકળ સાબિત થતા ખેડૂતોને ખાતર માટે વધુ ભાવ ચૂકવા પડી રહ્યાં છે જેને લઈએં ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેતપુર તાલુકાની સહકારી મંડળીમાં કોઈ જગ્યાએ DAP ખાતર નથી .ખેડૂતો દ્વારા આ ખાતરનો ઓર્ડર આપવા છતાં આપવામાં આવતું નથી, ખાતરના વધુ ભાવ આપવા છતાં ખાતર નહિ મળતા ખેડૂતો માં રોષ જોવા મળી રહયો છે.