ગુજરાતમાં ડાયમન્ડ સીટી સુરત માટે સારા સમાચાર છે. કેન્દ્ર સરકારે સુરતના હીરા બુર્સને સ્પેશ્યલ નોટિફાઈડ ઝોન જાહેર કર્યો છે. હવે સુરતમાં આંતરાષ્ટ્રીય લેવલનું રક ડાયમંડ ખરીદ વેચાણનું માર્કેટ ખુલ્લુ મુકાયુ છે અહીં પહેલા વિદેશી કંપનીઓ ઈમ્પોર્ટ ડ્યુટીને કારણે આવકા ખચકાતી હતી તે હવે ખુલ્લેઆમ વેપાર કરી શકશે.
કેન્દ્ર સરકારે હીરા બુર્સને સ્પેશ્યલ નોટિફાઇડ ઝોન જાહેર કર્યુ
વિશ્વની રફ ડાયમન્ડની કંપનીઓ સુરતમાં વેચાણ કરી શકશે
ડીબિયર્સ, અલરોઝા કંપનીઓ સુરતમાં હીરાનું વેચાણ કરી શકશે
સુરત હીરા ઉદ્યોગને સૌથી મોટી ભેટ મળી છે. ગુજરાત હીરા બુર્સને સ્પેશ્યલ નોટિફાઇડ ઝોન જાહેર કર્યો છે. કેન્દ્ર સરકારે હીરા બુર્સને સ્પેશ્યલ નોટિફાઇડ ઝોન જાહેર કર્યો છે. હવેથી વિશ્વની રફ ડાયમન્ડની કંપનીઓ સુરતમાં વેચાણ કરી શકશે.
નાના વેપારીઓ પણ રફ ડાયમન્ડનું વેચાણ કરી શકશે
ભારતમાં રફ હિરાના કંટીંગ અને પોલીસીંગના ઉદ્યોગને ગતીવાન બનાવવા માટે કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે જો કે આ વાતનો ફાયદો સુરતના નાના વેપારીઓને પણ થશે. અહીથી નાના વેપારીઓ પણ વૈશ્વીક કંપનીઓ પાસેથી કામ મેળવી શકશે. આ જાહેરાતને પગલે નાના વેપારીઓ પણ રફ ડાયમન્ડનું વેચાણ કરી શકશે. જેમાં ટેક્સમાં પણ રાહત મળશે.
સુરતનું વૈશ્વિક મહત્વ વધશે
આ અંગે Gems and Jewellery Export Promotion Council (GJEPC) દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી જેને હરી ઝંડી મળી ગઈ છે. આ પોલીસીને કારણે હવે સહેલાઈથી સુરતમાં હીરા ઉદ્યોગમાં નેશનલ અને ઈન્ટરનેશનલ કંપનીઓ વેચાણ માટે આવશે. અને એક ઈન્ટરનેશનલ લેવલનું હીરાની પોલીસીંગનું જ નહીં પરંતુ ખરીદ વેચાણનું પણ કેન્દ્ર બની રહેશે.
ડીબિયર્સ, અલરોઝા કંપનીઓ સુરતમાં હીરાનું વેચાણ કરી શકશે
મુંબઈમાં 4000 સ્કે ફૂટનો હોલ છે જેમાં આ રીતે હીરાનું ખરીદ વેચાણ થાય છે અને તેને પણ સ્પેશ્યલ નોટીફાઈડ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. મુંબઈની જેમ જ નેશનલ ઈન્ટરનેશનલ કંપનીઓ સુરતમાં રફ ડાયમન્ડની વેચાણ કરી શકશે. ડીબિયર્સ, અલરોઝા કંપનીઓ સુરતમાં હીરાનું વેચાણ કરી શકશે.
હીરાના વેપારીઓ એન્ટવર્પ કે દુબઈ અને ઈઝરાયેલ જતા હતા
અત્યાર સુધી હીરાના વેપારીઓ એન્ટવર્પ કે દુબઈ અને ઈઝરાયેલ જતા હતા પણ હવે તેમના માટે સુરત માટેના દરવાજા પણ ખુલી જશે. સામાન્ય હીરા વેપારી પણ ડાયરેકટ રફ ખરીદી કરી શકશે. વિશ્વની મોટી કંપનીઓ સીધા સુરતમાં વેચાણ કરવા આવશે.