સુરતઃ રાજ્યભરના ST બસના કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર છે. હડતાલ પર ઉતરેલા કર્મચારીઓ વિવિધ માંગો સાથે હડતાળ પર ઉતર્યા છે. ત્યારે સુરતમાં ફિક્સ પગારના કર્મચારીઓને શોકોઝ નોટીસ અપાશે. ફિક્સ પગારના કર્મચારીઓને નોકરી પર હાજર થવા આદેશ અપાયા છે. નોકરી પર હાજર નહીં થાય તો કાયદેસરના પગલા લેવાની સરકારે ચિમકી આપી હતી.
હડતાળમાં જોડાયેલા કર્મચારીઓ સામે સરકાર શસ્ત્ર ઉગામ્યું છે. છેલ્લા 17 કલાક ઉપરાંતથી કર્મચારીઓ હડતાળ પર છે. મહત્વનું છે કે સુરતમાં ફિક્સ પગાર ધારકો 1100 જેટલા છે જ્યારે રાજ્યની એસટી 8209 બસ છે.
કર્મચારીઓની શું છે માંગ ?
મુખ્ય સાતમા પગાર પંચનો અમલ કરવો ખોટા થયેલા કેસો પાછા ખેંચવા એસ.ટી. કર્મચારીઓને વર્ગ ત્રણના ગણીને વર્ગ ચારનો પગાર આપવો ફિક્સ વેતન દૂર કરવું આશ્રિતોને નોકરી આપવી બઢતી અને બદલીની નિતીમાં ફેરફાર કરવા જેવા વિવિધ મુદાઓ રજા પર છે.
ક્યાં સુધી ચાલશે હડતાળ ?
રાજ્યભરના ૩૩ હજાર ST બસના કર્મચારીઓએ સરકાર સામે એક દિવસની માસ CL પર ઉતર્યા છે. ત્યારે કર્મચારી મહામંડળના પ્રમુખ સતુભા ગોહિલે કહ્યું કે એસટી નિગમ આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરશે. જ્યાં સુધી કર્મચારીઓની માગણી નહીં સ્વીકારાય ત્યાં સુધી માસ સીએલનો કાર્યક્રમ યથાવત રહેશે. આગામી દિવસોમાં ST કર્મચારીઓની અચોક્કસ મુદ્દતની હડતાળ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે.