પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીની વધુ એક સચ્ચાઈ સામે આવી છે, વારંવાર તેમની સાથે અણબનાવનો શિકાર બનતા ગવર્નર જગદીપ ધનખડએ PM મોદી સાથેની મિટિંગને લઈ મોટો ઘટસ્ફોટ કર્યો છે.
પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીની વધુ એક સચ્ચાઈ સામે આવી
ગવર્નર જગદીપ ધનખડએ કરી ટ્વિટ
કેન્દ્ર સરકાર સાથે ચાલી રહેલ ઘમસાણમાં CM મમતાએ મોટી ચાલ રમી
પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીની વધુ એક સચ્ચાઈ સામે આવી
પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીની વધુ એક સચ્ચાઈ સામે આવી છે, વારંવાર તેમની સાથે અણબનાવનો શિકાર બનતા ગવર્નર જગદીપ ધનખડે PM મોદી સાથેની મિટિંગને લઈ મોટો ઘટસ્ફોટ કર્યો છે. ગવર્નર જગદીપ ધનખડએ CM મમતા પર આરોપ લગાવતા કહ્યું છે કે તેમણે મને PM મોદીની મિટિંગ બાયકોટ કરવા માટે કહ્યું હતું. ગવર્નરે મંગળવારે ટ્વિટ કરીને દાવા સાથે કહ્યું કે CM મમતાએ મિટિંગના એક દિવસ પહેલા મને મેસેજ કર્યો હતો. તેમણે મેસેજમાં મને સંકેત આપ્યા કે શુભેન્દુ અધિકારીઓની બેઠકમાં બોલાવ્યા છે તો તે પોતે મિટિંગ બાયકોટ કરી શકે છે.
ગવર્નર જગદીપ ધનખડએ કરી ટ્વિટ
ગવર્નરે વધુમાં લખ્યું છે કે, "ખોટા નિવેદનોથી લાચાર થઈ હવે હું સીધો રેકોર્ડ લખવા જઈ રહ્યો છું. 27 મે એ રાત્રે સવા અગિયાર વાગ્યે મમતા બેનર્જીએ મને મેસેજ કર્યો હતો કે શું હું વાત કરી શકું છું. ખૂબ જ અર્જન્ટ છે. ત્યારપછી તેમણે ફોન પર સંકેત આપ્યા કે તે પોતે અને તેમના અધિકારીઓ PM મોદીની મિટિંગ બાયકોટ કરી શકે છે, જો તેમણે વિપક્ષના શુભેન્દુ નેતાને પણ આ મિટિંગમાં સામેલ કર્યા છે તો." આ રીતે સરકારની સેવા કરવાની નીતિ પર અહંકારે સ્થાન લીધું. તમને જણાવી દઈએ કે PM મોદી બંગાળ અને ઓડિશામાં આવેલ વાવાઝોડા યાસને કારણે થયેલ નુકશાનની સમીક્ષા કરવા માટે ગયા હતા.
Constrained by false narrative to put record straight: On May 27 at 2316 hrs CM @MamataOfficial messaged “may i talk? urgent”.
Thereafter on phone indicated boycott by her & officials of PM Review Meet #CycloneYaas if LOP @SuvenduWB attends it.
Ego prevailed over Public service
— Governor West Bengal Jagdeep Dhankhar (@jdhankhar1) May 31, 2021
કેન્દ્ર સરકાર સાથે ચાલી રહેલ ઘમસાણમાં CM મમતાએ મોટી ચાલ રમી
કેન્દ્ર સરકાર અને મમતા બેનર્જી વચ્ચે ચાલી રહેલ ઘમસાણમાં પણ CM મમતાએ મોટી ચાલ રમી છે, તેમણે અલપન બંદોપાધ્યાયને પોતાના મુખ્ય સલાહકાર બનાવવાનું એલાન કર્યું છે, આટલેથી ન અટકતા મમતાએ કહ્યું જે તેઓ મંગળવારથી જ કામ શરૂ કરી દેશે. જ્યારે મુખ્ય સચિવની જવાબદારી હરિકૃષ્ણ દ્વિવેદીને સોમવારે જ સોંપવામાં આવી છે.