પીએમ મોદી જનધનના રૂપમાં એક એવી યોજના લઇને આવ્યા જેના દ્વારા ગરીબોને બેંકિંગ સિસ્ટમથી જોડવામાં આવ્યા. જન ધન અકાઉન્ટ એક એવું અકાઉન્ટ હતું જેને ઝીરો બેલેન્સ પર ખોલવામાં આવ્યું. જેના કારણે કરોડો લોકો બેંક સાથે જોડાઇ શક્યા. એક વખત ફરીથી આ યોજનાને લઇને કેન્દ્રીય નાણા મંત્રી અરુણ જેટલીએ એક મોટી જાહેરાત કરી છે. એટલે કે એને 5 હજારથી વધારીને 10 હજાર કરી દેવામાં આવી છે.
સરકારે પ્રધાનમંત્રી જનધન યોજનાની સફળતાને જોયા એવો નિર્ણય લીધો છે કે પ્રધાનમંત્રી જનધન યોજનાને હંમેશા ખુલ્લુ રાખવામાં આવશે. અરુણ જેટલીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી જનધન યોજનાની વધારે સફળતાને જોતા પીએમ મોદીએ આ યોજનાને હંમેશા માટે ખુલ્લી રાખવાનો નિર્ણય કર્યો છે. યોજના અનિશ્વિત કાળ સુધી ખુલ્લી રહેશે. આટલું જ નહીં એમાં બીજા કેટલાક ફાયદાને જોડવામાં આવશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખુદ ટ્વિટ કરીને આ યોજનામાં આવેલા નવા ફેરફેરા માટે લોકોને જણાવ્યું છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું જન ધન ખાતાધારકોને હવે વધારે ઓવરડ્રાફ્ટ સુવિધા વધારે આકસ્મિક વીમો અને ઘણું બધું. જનધન ખાતા હેઠળ હવે 2 લાખ રૂપિયા વીમો આપવામાં આવશે 2000 રૂપિયાની ઓડી માટે કોઇ શરત હશે નહીં અને ઓડી લેનાર લોકોના આયુષ્ય વધારીને 60 થી વધારીને 65 વર્ષ કરી દેવામાં આવ્યું છે.
નાણા મંત્રીએ જણાવ્યું કે દેશમાં જનધન યોજના હેઠળ 32.41 કરોડ ખાતા ખોલવામાં આવ્યા છે જેમાંથી 53 ટકા ખાતા મહિલાઓના 59 ટકા ખાતા ગ્રામીણ અને શેહરી વિસ્તારોમાં ખોલવામાં આવ્યા છે. અરુણ જેટલીએ એવું પણ જણાવ્યું કે આ અકાઉ્ટ્સમાં 83 ટકા ખાતા આધારથી જોડાયેલા છે અને 24.4 કરોડ ખાતાની સાથે ડેબિટ કાર્ડ જારી કરી દેવામાં આવ્યું છે. આ કારણ છે કે ઓવરડ્રાફ્ટ સુવિધાને 5 હજારથી વધારીને 10 હજાર કરી દેવામાં આવી છે.