ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં મંત્રીઓને 2 જિલ્લાનો પ્રવાસ કરવા આદેશ આપવામાં આવ્યો છે. સાથેજ તેમને તેનો વિઝીટ રિપોર્ટ આપવા પણ આદેશ આપવામાં આવ્યા. ઉપરાંત વહીવટી તંત્ર સાથે પણ સંકલન સાધવાના આદેશ આપવામાં આવ્યા છે.
સરકારની કેબિનેટ બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણય
મંત્રીઓને 2 જિલ્લાનો પ્રવાસ કરવા આદેશ અપાયા
વહિવટી તંત્ર સાથે સંકલન સાધવાના આદેશ અપાયા
આજે ગુજરાત સરકારની કેબિનેટ બેઠક યોજાઈ હતી. જે બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. આ બેઠકમાં દરેક મંત્રીઓને 2 જિલ્લાનો પ્રવાસ કરવા માટે સૂચના આપવામાં આવી છે. સાથેજ અગામી કેબિનેટ બેઠકમાં તે પ્રવાસનો વિઝીટ રિપોર્ટ રજૂ કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે.
મંત્રીઓને જિલ્લા વહિવટી તંત્ર સાથે બેઠકના આદેશ
પ્રભાર સિવાયના જિલ્લાની સ્થિતીઓ જાણવા માટે પણ મંત્રીઓને સૂચના આપવામાં આવી છે. બેઠકમાં જે પણ નિર્ણય લેવામાં આવ્યા છે. તેને અનુલક્ષીને એવું લાગી રહ્યું છે કે સરકાર દ્વારા હવે આગામી ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તમામ મંત્રીઓને જિલ્લા વહીવટી તંત્ર સાથે પણ બેઠક કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
વહીવટી તંત્ર સાથે સંકલન સાધવાના આદેશ
જિલ્લા ભાજપના વહીવટી તંત્ર સાથે મંત્રીઓ બેઠક કરવાના છે. છેલ્લા કેટલાક સમયથી લોકોમાં રોષ ફેલાયો છે. જે રોષને દૂર કરવા માટે આજની કેબિનેટ બેઠકમાં આ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. ખાસ કરીને જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકલન સધવા માટે આદેશ મંત્રીઓને આપવામાં આવ્યા છે.
ચૂંટણીને લઈને ચર્ચા
ગુજરાતમાં આગામી 2022ની વિધાનસભા ચૂંટણીને લઈને પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. હાલ ચૂંટણીને લઈને રાજ્યમાં આમ આદમી પાર્ટી ઘણી સક્રીય જોવા મળી રહી છે. તો સાથેજ કોંગ્રેસ દ્વારા પણ ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દેવાંમાં આવી છે.
ગૃહમંત્રી આવશે અમદાવાદ
ઉલ્લેખનીય છે કે રથયાત્રાના દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ અમદાવાદ આવવાના છે. જે દિવસે એક મહત્વની બેઠક યોજાવાની છે. આ બેઠકમાં ખાસ તો આગામી ચૂંટણીને લઈને રણનીતી અમિતશાહ પોતે ઘડવાના છે તેવું માનવામાં આવી રહ્યું છે.