વધતી ઉંમરની સાથે ઘુટણનું દુઃખાવો થવો સામાન્ય વાત છે. વા એવી જ એક બીમારી છે. વા થવા પર ઘુટણમાં દુખાવો, સોજો અને રેડનેસની સમસ્યા થઈ શકે છે. એવી ઘણી વસ્તુઓ છે જે વાની સમસ્યાને વધારી શકે છે.
વધતી ઉંમરની સાથે ઘુટણનો દુઃખાવો સામાન્ય વાત
વા જેવી બીમારીથી રહો સાવધાન
ઘુટણમાં દુઃખાવો, સોજો અને રેડનેસ વાના છે લક્ષણો
વા એક કોમન ટાઈપનો અર્થરાઈટિસ હોય છે જે જોઈન્ટ્સ અને પગના અંગુઠાને પ્રભાવિત કરે છે. વાના દુઃખાવાના ઘણી વખત લક્ષણો જોવા નથી મળતા પરંતુ ઘણા લોકોમાં તેને અમુક લક્ષણ જોવા મળે છે. સાંધાની સમસ્યા થવા પર વ્યક્તિને ઘુટણમાં દુઃખાવો, સોજો, રેડનેસ અને ઘુટણોને વાળવામાં ઘણો વધારે દુખાવો થાય છે જે એક અથવા 2 અઠવાડિયા સુધી રહે છે.
એવી ઘણી વસ્તુઓ છે જેનાથી સાંધાનો દુખાવો વધી શકે છે. તો આવો જાણીએ સાંધાની સમસ્યા થવા પર તમારે કઈ વસ્તુઓનું સેન કરવાથી બચવું જોઈએ. નહીં તો તમારી આ સમસ્યા વધારે વધી જશે.
વાના રોગને વધારે છે આ વસ્તુઓ
શરીમાં યુરિક એસિડની માત્રા વધારે હોવાના કારણે વાની સમસ્યા થઈ શકે છે. યુરિક એસિડ ત્યારે વધે છે જ્યારે શરીર પ્યુરીનને તોડે છે. આ શરીરમાં અને અમુક નેચરલ પદાર્થોમાં નેચરલ રીતે મળી આવતું એક કેમિકલ હોય છે.
શરીરમાં યુરિક એસિડ તૂટીને યુરિનના રસ્તે બહાર નિકળી જાય છે. જ્યારે તે શરીરમાંથી યોગ્ય રીતે બહાર ન નિકળી શકે તો વધારે યુરિક એસિડ જ્વોઈન્ટ્સમાં સોઈના આકારના ક્રિસ્ટલમાં બદલાઈ જાય છે. જેનાથી વાની સમસ્યા થાય છે.
એવી ઘણી વસ્તુઓ છે જે વાના દુઃખાવાને વધારે છે. જોકે વાના દુઃખાવાથી છુટકારો મેળવી શકાય છે એવામાં જાણવું જરૂરી છે કે કઈ વસ્તુઓથી વાના દુઃખાવાની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે.
મીટ અને સીફૂડ
હાઈ પ્યુરીન યુક્ત વસ્તુ શરીરમાં યુરિક એસિડના લેવલને વધારે છે જેનાથી વાનો દુઃખાવા ખૂબ વધારે વધી જાય છે. હાઈ પ્યુરીન યુક્ત ફૂડ્સમાં આ વસ્તુઓ શામેલ છે.
રેડ મીટ, જેસે બીફ, લેંબ અને પોર્ક
ઓર્ગન મીનટ જેવા લીવર અને કિડની
અમુક સીફૂડ્સ જેવા કે ટૂના, ટ્રાઉટ, સાર્જિન અને એન્ચોવી
જોકે આ પ્યુરીન યુક્ત વસ્તુઓ તમારા યુરિક એસિડના લેવલ અથવા વાના ખતરાને નથી વધારતી. મટર, બીન્સ, દાળ, એસ્પરેગસ, પાલક અને મશરૂમ જેવા શાકભાજી પ્યુરીનથી ભરેલા હોય છે. પરંતુ જ્યારે તેને ઓછા પ્રમાણમાં ખાવામાં આવે છે તો વાની સમસ્યા નથી થતી.
દારૂ
બીયર, દારૂ અને વાઈન લોહીમાં યુરિક એસિડના લેવલને વધારવા માટે ઓળખવામાં આવે છે. તમે જોટલું વધારે પ્રમાણમાં દારૂનું સેવન કરો છો તો વાની સમસ્યાનો ખતરો વધારે વધી જાય છે. પરંતુ એક સ્ટડીમાં જાણવા મળ્યું કે જો તમે ઓછા પ્રમાણમાં દારૂનું સેવન કરો છો તો પણ તેનાથી પુરૂષોમાં વાની સમસ્યાનો ખતરો વધારે હોય છે.
દારૂનું સેવન બિલકુલ પણ ન કરનાર લોકોની તુલનામાં જો પુરૂષો 24 કલાકમાં 2 ડ્રિંક્સ પીવે છે તેમાં વાનો ખતરો 36 ટકા વધારે હોય છે. એવામાં દારૂનું સેવન ન કરવાથી વધારે અથવા વધારે ઓછી માત્રામાં કરવાથી વાની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે.
હાઈ BMI લેવલ
હાઈ BMI લેવલ અને યુરિક એસિડની વચ્ચે એક લિંક હોય છે. જે લોકો ઓવરવેટ અથવા જાડાપણાની સમસ્યાથી પીડિત હોય છે તેમને પણ વા થવાની આશંકા ખૂબ વધારે હોય છે. એવામાં વજન ઓછુ કરવાથી યુરિક એસિડના લેવલને ઓછુ કરી શકાય છે સાથે જ તમે ભવિષ્યમાં થતી વાની સમસ્યાથી બચી શકો છો.
આ વસ્તુઓથી વધે છે વાની સમસ્યા
અમુક ખાસ પ્રકારના ફૂડ્સ, ડ્રિંક્સ અને લાઈફ સ્ટાઈલ વાની સમસ્યાને ટ્રિગર કરે છે. સ્ટ્રેસ, એસ્પિરિન, ડિહાઈડ્રેશન, ટેન્પ્રેચરમાં ફેરફાર વગેરે વાની સમસ્યામાં વાધારો કરે છે.