આર્યન ખાન ડ્રગ્સ કેસને લઈને કિરણ ગોસાવીના બોર્ડીગાર્ડ પ્રભાકરે નોટરાઇઝ્ડ સોગંદનામામાં ચોંકાવનારા ખુલાસા કર્યા છે.
આર્યન ખાનના કેસમાં નવો વળાંક આવ્યો
ડ્રગ્સ કેસના મામલે કીરણ ગોસાવીના બોડીગાર્ડે કર્યો ખુલાસો
સમીર વાનખેડેને બતાવ્યો જાન નો દુશ્મન
આર્યન ખાનના કેસમાં નવો વળાંક આવ્યો
શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં ફસાયેલો છે. આર્યનની ન્યાયિક કસ્ટડી લંબાવવામાં આવ્યા બાદ તેને આર્થર રોડ જેલમાં રાખવામાં આવ્યો છે. તેના વકીલો તેને જામીન અપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ દરમિયાન આર્યન ખાનના કેસમાં નવો વળાંક આવ્યો છે.
ડ્રગ્સ કેસના મામલે કીરણ ગોસાવી ના બોડીગાર્ડે કર્યો ખુલાસો
આર્યન ખાન ડ્રગ્સ કેસને લઈને કિરણ ગોસાવીના બોર્ડીગાર્ડ પ્રભાકરે નોટરાઇઝ્ડ સોગંદનામામાં ચોંકાવનારા ખુલાસા કર્યા છે. પ્રભાકરનું કહેવું છે કે પંચનામા પેપર કહીને કોરા કાગળ પર બળજબરીથી સહી કરાવી હતી. તેને આ ધરપકડની જાણ નહોતી.જો તમને યાદ હોય તો આર્યનની ધરપકડના દિવસે એક અજાણ્યા વ્યક્તિએ તેની સાથે સેલ્ફી લીધી હતી, જે ખૂબ જ વાયરલ થઈ હતી. આ વ્યક્તિની ઓળખ કિરણ ગોસાવી તરીકે થઈ હતી અને ઓળખ બાદ તે ફરાર થઈ ગયો હતો. એ જ કિરણ ગોસાવીના અંગરક્ષકે એક મહત્વનો ખુલાસો કર્યો છે.
કિરણ ગોસાવીના અંગરક્ષકે દાવો કર્યો
ફરાર કિરણ ગોસાવીના અંગરક્ષક પ્રભાકરે જણાવ્યું હતું કે, તેને પંચનામા પેપર બતાવી ખાલી કાગળ પર બળજબરીથી સહી કરાવી હતી. તેને આ ધરપકડ વિશે ખબર નહી. પ્રભારકરે એક સોગંદનામુ તૈયાર કર્યુ હતું જેમાં તેણે દાવો કર્યો હતો કે, તે આ ક્રૂઝ રેઈડ પછી જે નાટક થયું તેનો સાક્ષી બનાવ્યો છે
સમીર વાનખેડેને બતાવ્યો જાન નો દુશ્મન
આ દવાઓમાં પંચ પ્રભાકરનો દાવો છે કે તે કિરણ ગોસાવી સાથે બોડીગાર્ડ તરીકે કામ કરતો હતો. નોટરાઈઝ્ડ એફિડેવિટમાં પ્રભાકરે દાવો કર્યો છે કે ક્રુઝ રેઈડની રાત્રે તે ગોસાવી સાથે હતો. પ્રભાકરે એવો પણ દાવો કર્યો છે કે તેમણે ગોસાવીને એનસીબી ઓફિસ પાસે સેમ નામના વ્યક્તિને મળતા જોયા હતા. પ્રભાકર કહે છે કે જ્યારથી ગોસાવી રહસ્યમય રીતે ગાયબ થયો છે ત્યારથી તેને સમીર વાનખેડેથી પોતાનો જીવ જોખમમાં છે.