મુંબઇમાં ક્રુઝ પર માદક પદાર્થ મળવાના કેસમાં ફરાર સાક્ષી કિરણ ગોસાવી વિશે સમાચાર આવ્યા હતાં કે તે સરેન્ડર કરવાનો છે અને ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં સરેન્ડર કરશે.
આર્યન ખાન કેસના સાક્ષીને લાગે છે ડર
મુંબઇની જગ્યાએ લખનઉમાં કરવું હતુ સરેન્ડર
આર્યન કેસમાં આ વ્યક્તિ સાક્ષી છે અને ફરાર છે
ગોસાવીએ આપ્યું હતું નિવેદન
કિરણે પોતે જ આ વાત કહી હતી કે તે લખનઉમાં સમર્પણ કરી દેશે પરંતુ થયું કંઇક અલગ જ. ગોસાવી સાથે જોડાયેલા એક સૂત્રએ ઑડિયો ક્લિપ શૅર કરી હતી જેમાં ગોસાવી પોલીસ અધિકારી સાથે વાત કરી રહ્યો હતો. આ ક્લિપમાં ખરેખર ગોસાવી બોલી રહ્યો છે કે નહી તે વાતની પુષ્ટી હજુ સુધી થઇ નથી.
સોશ્યલ મીડિયા પર વાયરલ ક્લિપ
સોશ્યલ મીડિયા પર વાયરલ ક્લિપ અનુસાર ગોસાવીએ કહ્યું કે, હું ત્યાં આવવા માંગુ છું, હું કિરણ ગોસાવી બોલી રહ્યો છુ અને સરેન્ડર કરવા માગુ છુ. પોલીસ કર્મીએ સામે પૂછ્યું કે તુ અહી શા કારણે આવ્યો છે. તો કિરણે કહ્યું હાલ મારા સૌથી નજીક આ જ પોલીસ સ્ટેષન છે. ત્યારે પોલીસે કહ્યું કે, ના તું અહીં સરેન્ડર ન તરી શકે કોઇ બીજી જગ્યાએ પ્રયત્ન કર. યુપી પોલીસે પણ આ દાવાને ફગાવી દીધો હતો. મનોજ સિંહ નામના પોલીસ અધિકારીએ કહ્યું કે, મને આ વાતની કોઇ જાણકારી નથી.
કેસ મહારાષ્ટ્રમાં તો યુપીમાં સમર્પણ કેમ?
મુંબઇમાં કેસ છે તો યુપીમાં તેમ સમર્પણ કરે છે તેના પર ગોસાવીએ કહ્યું કે આર્યનને જ્યારે NCB ઓફીસ લઇ જવામાં આવ્યો ત્યારે તે પણ ત્યાં હાજર હતો અને પ્રાઇવેટ ઇન્વેસ્ટીગેટર કહેવામાં આવતો ગોસાવીની તસવીર આર્યન સાથે વાયરલ થઇ હતી. ગોસાવીનું કહેવું છે કે તેના જીવને જોખમ છે. મહારાષ્ટ્ર પોલીસ પર તેને ભરોસો નથી.
ગોસાવીએ કહી આ વાતો
હવે કિરણ ગોસાવીએ પ્રભાકરના આ દાવા પર ચુપ્પી તોડી છે. ગોસાવીએ કહ્યું કે, તે સમીર વાનખેડેને ઓળખતો જ નથી. તેણે આ પ્રકારે નિવેદન આપ્યું હતું.
હું 6 ઓક્ટોબર સુધી મુંબઇમાં હતો
મારે જબરદસ્તી ફોન બંધ કરવો પડ્યો હતો કારણકે મને ધમકી ભરેલા ફોન આવતા હતા
હું વાનખેડેને નથી ઓળખતો, મે બસ તેને ટીવી પર જોયો છે
હું NCBની કોઇ પણ એક્શનનો હિસ્સો નહોતો
મેં દરેક વાત વાંચ્યા બાદ પંચનામામાં સહી કરી હતી.
આર્યન ખાને મને તેની મેનેજર સાથે વાત કરાવવા માટે કહ્યું હતું કારણકે તે સમયે ફોન તેની પાસે નહોતો
આર્યને મને રિકવેસ્ટ કરી કે હું તેની વાત તેના મેનેજર કે મા-બાપ સાથે કરાવી દઉ
હું પ્રભાકરને ઓળખું છું, તેણે મારા માટે કામ કર્યુ છે પરંતુ તેણે કહેલી વાતો ખોટી છે
હું પ્રભાકર સાથે 11 ઓક્ટોબરથી ટચમાં નથી
મારા વિરુદ્ધ પુણેમાં એક કેસ રજીસ્ટર થયો હતો પરંતુ અચાનક તેના પર કાર્યવાહી શરૂ થઇ ગઇ હતી
મારા જીવને જોખમ છે, મને ધમકી આપવામાં આવી રહી છે કે જેલમાં મને મારી નાંખવામાં આવશે
6 ઓક્ટોબર બાદથી આજ સુધી સમીર વાનખેડે સાથે મારી કોઇ વાત નથી થઇ.