ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં ગોરખનાથ મંદિરની બહાર તૈનાત પોલીસ પર હુમલો કરનારા અમહદ મુર્તજા અબ્બાસીની પોલીસ કસ્ટડી રિમાંડ 5 દિવસ માટે વધારી દેવામાં આવ્યા છે.
ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં ગોરખનાથ મંદિરની બહાર તૈનાત પોલીસ પર હુમલો કરનારા અમહદ મુર્તજા અબ્બાસીની પોલીસ કસ્ટડી રિમાંડ 5 દિવસ માટે વધારી દેવામાં આવ્યા છે. હવે યુપી એટીએસને મુર્તજાની કસ્ટડી 16 એપ્રિલના બપોરે 12 વાગ્યા સુધી મળી ગઈ છે. આજે ગોરખપુરના એસીજેએમ કોર્ટમાં તેને રજૂ કરવામા આવ્યો હતો. એટીએસે મુર્તજાના રિમાંડ 5 દિવસ વધારવા માટે કોર્ટમાં અરજી કરી હતી. જેને કોર્ટે સ્વિકાર કરી લીધો હતો. યુપી એટીએસે પુરાવા તરીકે એરગન, લેપટોપ અને બીજી વસ્તુઓ રજૂ કરી હતી.
કડક સુરક્ષા વચ્ચે કોર્ટમાં લઈ જવામાં આવ્યો
કોર્ટમાં રજૂ કરવા માટે યુપી ATS મુર્તજાને લખનઉથી ક઼ડક સુરક્ષા વચ્ચે ગોરખપુર લાવી હતી. અબ્બાસીની પોલીસ કસ્ટડી રિમાંડને લઈને કોર્ટમાં લગભગ 45 મિનિટ સુધી સુનાવણી થઈ હતી. ત્યાર બાદ યુપી એટીએસની ટીમ તેને લઈને રવાના થઈ ગઈ હતી. જો કે, મુર્તજા તરફથી કોઈ વકીલ કોર્ટમાં હાજર રહ્યા નહોતા.
કોઈ વકીલ કેસ લડવા તૈયાર ન થયાં
જો કે, આ મામલા પર ગોરખપુર બાર એસોસિએશનના અધ્યક્ષ મનોજ કુમાર પાંડેનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ન્યાય મેળવવાનો દરેક વ્યક્તિનો અધિકાર છે. અહમદ મુતર્જા અબ્બાસીએ કોઈ વકીલનો સંપર્ક જ ન કર્યો. જેના કારણે કોઈ વકીલ તેના તરફ ઉભો ન રહ્યો. બાર એસોસિએશન કોઈ બોયકોટ કર્યો નહોતો.
મંદિરમાં ઘુસવાની કરી હતી કોશિશ
હકીકતમાં જોઈએ તો, અહમદ મુતર્જા અબ્બાસીએ 3 એપ્રિલના રોજ બળજબરીપૂર્વક ગોરખનાથ મંદિરમાં ઘુસવાની કોશિશ કરી હતી. જ્યારે પીએસીના જવાનોએ તેને રોકવા માગ્યો તો, તેણે ધારદાર હથિયારોથી તેના પર હુમલો કરી દીધો હતો. બાદમાં તેને જેમ તેમ કરીને કાબૂ પર પકડ લીધો હતો. આ ઘટનામાં બે પોલીસકર્મી પણ ઘાયલ થયા હતા.