ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો નંદીને વ્હાલ કરતો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. ગોરખપુરના ગોરખનાથ મંદિર સ્થિત ગૌશાળામાં નંદીને વ્હાલ કરતા સીએમ યોગીએ કહ્યું, નંદી શું છે, એકલા છો એટલે આવુ છે, અરે કેમ નારાજ છો?
યોગી આદિત્યનાથનો નંદીને વ્હાલ કરતો એક વીડિયો વાયરલ
યોગી આદિત્યનાથે ગાયો અને નંદીને ગોળ ખવડાવ્યો
આદિત્યનાથે નંદીના માથા પર ફેરવ્યો હાથ
મુખ્યમંત્રી યોગીએ નંદીના માથા પર હાથ ફેરવી કર્યો સ્નેહ
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બુધવારે સવારે ગોરખનાથ મંદિરની ગૌશાળામાં ગયા હતા. તે એક પછી એક ગાયોને અને નંદીને ગોળ ખવડાવીને બોલાવી રહ્યાં હતા ત્યારે તે ગૌશાળાના એક ભાગમાં ગયા જ્યાં વાડામાં માત્ર એક નંદી હતો. નંદીના માથા પર હાથ ફેરવીને યોગી આદિત્યનાથે પોતાના અધિકારીઓને કહ્યું, નંદીના શિંગડા પર પણ તેલ લગાવી દો. પછી સીએમ યોગીએ નંદી પર હાથ ફેરવતા કહ્યું, નંદી શું છે, એકલા છો એટલે આવુ છે, અરે કેમ નારાજ છો? થોડી વારમાં નંદી પર હાથ ફેરવ્યાં બાદ સીએમ યોગી આદિત્યનાથ આગળ વધ્યા. ગોરખપુર પ્રવાસ દરમ્યાન સીએમ યોગી ગૌશાળામાં આવશ્ય આવે છે.
ઉલ્લેખનીય છે કે સીએમ યોગી આદિત્યનાથ ગુરૂપૂર્ણિમાના અવસરે ગોરખનાથ મંદિરમાં દર્શન પૂજન માટે ગયા હતા. તેમણે ગુરૂ ગોરખનાથ સહિત તેના ગુરૂજનોનો આશીર્વાદ લીધો. ત્યારબાદ સીએમ યોગીએ ગોરખનાથ મંદિરમાં ફરિયાદીઓ સાથે મુલાકાત કરી. પછી મંદિર પરિસરમાં સ્થિત ગૌશાળામાં ગાય અને નંદીને ગોળ ખવડાવ્યો. આની પહેલા મંગળવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોરખપુરને વિકાસની ભેટ આપી. તેમણે 463.60 કરોડની પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યુ. આ અવસરે તેમણે કહ્યું કે શિક્ષણ, સ્વાસ્થ્ય, માર્ગ, પૂરના બચાવથી ઉપાય માટે દરેક વિધાનસભા ક્ષેત્રમાં વિકાસની ભેટ મળી રહી છે.