ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના એક એવા મંદિર વિશે આજે અમે તમને જણાવીએ છીએ, જે ગોરખપુર જ નહીં, પરંતુ આજુબાજુના જિલ્લામાં પણ પ્રસિદ્ધ છે. આ મંદિર ઘણુ જૂનુ છે. અહીં શ્રદ્ધાળુઓનો મોટી સંખ્યામાં ધસારો જોવા મળે છે.
ગોરખપુરનુ ગોલઘરનુ કાળી મંદિર છે પ્રખ્યાત
શ્રદ્ધાળુઓનો મોટી સંખ્યામાં જોવા મળે છે ધસારો
જાણો આ મંદિરનો ઇતિહાસ અને તેની વિશેષતા
નવરાત્રિમાં અહીં દૂર-દૂરથી શ્રદ્ધાળુઓ આવે છે. માઈભક્તોનું માનવુ છે કે અહી માથુ ટેકવીને માગવામાં આવેલી માનતા ક્યારેય ખાલી જતી નથી. માતા રાની પોતાના ભક્તોની હંમેશા રક્ષા કરે છે. આવો અમે આ મંદિર અંગે ખાસ વાતો જણાવીએ.
મંદિરની વિશેષતા
અમે ગોલઘરની કાળી મંદિરની વાત કરી રહ્યાં છે. ગોરખપુર રેલવે સ્ટેશનથી અંદાજે એક કિલોમીટર દૂર ગોલઘરના ઉત્તર બાજુ માં કાળી મંદિર ઘણુ જૂનુ છે. માં કાળીની કૃપા આજુબાજુના જિલ્લામાં પણ છે. અહીં દરરોજ આવતા માનવનુ મહેરામણ આ દેવીના સ્થાન પ્રત્યે લોકોની ઊંડી આસ્થાની ગવાહી આપે છે. કાળી મંદિરનો મહિમા દૂર-દૂર સુધી ફેલાયેલો છે.
મંદિરનો ઈતિહાસ
આ દેવીના સ્થળ અંગે લોકોનો અભિપ્રાય છે કે આજના ગોલઘરનો આ ભાગ ક્યારેક પુરિદલપુર ગામ હતુ અને આ દેવી આ ગામની કુળદેવી હતી. જેમાં ગ્રામજનોની ઊંડી આસ્થા હતી. એ વખતે ગ્રામજનો એક લીમડાના ઝાડની નીચે દેવીનો ચોરો બનાવીને પૂજા-અર્ચના કરતા હતા. મંદિરની સારસંભાળ મંદિરથી થોડે દૂર રહેતા માલી પરિવાર કરતા હતા. તે સમયે શહેરનો આ ભાગ જંગલના ક્ષેત્ર સાથે દેખાતો હતો. દેવીના સ્થળના રૂપે આ સ્થળને ક્યારે માન્યતા મળી. આ સંબંધમાં કોઈ ઐતિહાસિક પુરાવા તો મળ્યાં નથી. પરંતુ તેની પ્રાચીનતાને લઇને કોઈ શંકા નથી.
માઈભક્તોના મનોરથ થાય છે પૂર્ણ
શ્રદ્ધાળુઓને વિશ્વાસ હતો કે આ માં કાળી, માં સિદ્ધીદાત્રીનુ સ્વરૂપ છે, જે દરેક માઈભક્તના મનોરથ પૂરા કરે છે. બાદમાં માં કાળીના એક ભક્ત જંગી લાલ જયસ્વાલે 1968માં દેવી સ્થળ પર માં કાળીની એક ભવ્ય પ્રતિમા સ્થાપિત કરી મંદિરનુ નિર્માણ કરાવ્યું. આમ તો દેવીના દરબારમાં દરરોજ માઈભક્તોનો ધસારો થાય છે. પરંતુ નવરાત્રિ દરમ્યાન અહીં મેળા જેવો માહોલ થાય છે.