ગોરખપુરના ગોરખનાથ મંદિરમાં તૈનાત પોલીસકર્મીઓ પર હુમલો કરનારા આરોપી અહમદ મુતર્જા અબ્બાસીને લઈને યુપીના એડીજી લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારે મોટો ખુલાસો કર્યો છે.
ગોરખનાથ મંદિરમાં હુમલો કરનારા આરોપી પર મોટા ખુલાસો
લો એન્ડ ઓર્ડરે તેનો પ્લાન નિષ્ફળ કર્યો
ISIS સાથે તાર જોડાયેલો હાવાનો થયો ઘટસ્ફોટ
ગોરખપુરના ગોરખનાથ મંદિરમાં તૈનાત પોલીસકર્મીઓ પર હુમલો કરનારા આરોપી અહમદ મુતર્જા અબ્બાસીને લઈને યુપીના એડીજી લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારે મોટો ખુલાસો કર્યો છે. તેમણે આરોપી સાથે પૂછપરછ બાદ કહ્યું કે, મુર્તજા આઈએસઆઈએસ પ્રોપેગેંડા એક્ટિવિસ્ટ મહેદી મસરૂર બિસ્વાસ સાથે સંપર્કમાં હતો. એટલું જ નહીં, આરોપી આઈએસઆઈએના આતંકી વિચારધારાને પ્રોત્સાહ આપનારા જેહાદી સાહિતથી પ્રભાવિત હતો.
To complete his terror demands, he conducted a lone wolf fatal attack at the southern gate of Gorakhnath temple & attempted to snatch the rifle of security officials on duty. His intention was to conduct a big operation after snatching the weapon: Prashant Kumar, ADG Law & Order pic.twitter.com/YTNyrJJQo6
તેની સાથે જ પ્રશાંત કુમારે કહ્યું કે, 2013માં મુતર્જાએ અંસાદ ઉલ તૌહીદ આતંકી સંગઠનના શપથ લીધા હતા, પણ 2014માં આ સંગઠન આઈએસઆઈએસમાં વિલય થઈ ગયું, જે બાદ 2020માં મુર્તજાએ આઈએસઆઈએસના ફરી વાર શપથ લીધા હતા. એટલું જ નહીં આરોપીએ પોતાની બેંક ખાતામાંથી લગભગ સાડા આઠ લાખ રૂપિયા યુરોપ, અમેરિકા અને અન્ય દેશોમાં આઈએસઆઈએસ સમર્થકોને મોકલ્યા હતા.
The accused, via his bank accounts, sent around 8.5 lakh Indian Rupees to support ISIS terror activities via orgs related to ISIS supporters in different countries in Europe & America. He sent various arms - AK47, M4 carbine & other missile tech, via internet: Prashant Kumar, ADG
યુપીના એડીજી લો એન્ડ ઓેર્ડર પ્રશાંત કુમારના જણાવ્યા અનુસાર અમહદ મુતર્જા અબ્બાસીએ આતંકી ઘટનાને લઈને ઈંટરનેટથી એકે-47, કાર્બાઈન અને મિસાઈલ ટેક્નોલોજીના વીડિયો જોયા હતા. આ ઉપરાંત ફાયરિંગ માટે એર રાઈફલથી મુર્તજાએ પ્રેક્ટિસ પણ કરી હતી, એડીજીના જણાવ્યા અનુસાર આરોપીનો પ્લાન ગોરખનાથ મંદિરમાં તૈનાત સુરક્ષાકર્મીઓ પર હુમલો કરીને તેમના હથિયારો છીનવી મોટી ઘટનાને પાર પાડવાનો હતો. પણ પોલીસે સમય રહેતા તેનો પ્લાન ફ્લોપ કર્યો હતો.
Gorakhnath temple attack | After investigating accused Ahmad Murtaza Abbasi by UP ATS, data analysis of many of his e-devices, his various social media accounts like Gmail, Twitter, Facebook, & E-wallets was conducted: Prashant Kumar, ADG Law & Order pic.twitter.com/vhECuQJdCB
આપને જણાવી દઈએ કે, 3 એપ્રિલની સાંજે ગોરખનાથ મંદિરમાં આઈઆઈટી સ્નાતક અહમદ મુતર્જા અબ્બાસીએ મંદિર પરિસરમાં બળજબરીપૂર્વક ઘુસવાની કોશિશ કરી અને સુરક્ષાકર્મીઓ પર ધારદાર હથિયારોથી હુમલો કર્યો હતો, જેનાથી પીએસીના બે કોન્સ્ટેબલ ઘાયલ થઈ ગયા હતા. જો કે, સુરક્ષાકર્મીઓએ તેને તુરંત કાબૂમાં કરી દબોચી લીધો હતો. એટલું જ નહીં આરોપી પર ગેરકાયદેસર પ્રવૃતિઓ રોકથામ અધિનિયમ લગાવવામાં આવ્યો છે. જ્યારે યુપી એટીએસે આરોપી મુર્તજા પર UAPA લગાવ્યા બાદ કેસને NIAને ટ્રાંસફર કરી દીધો હતો.