ગત 14 ફેબ્રુઆરીના જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં CRPFના કાફલા પર થયેલા આતંકી હુમલામાં 40 જવાનો શહીદ થઇ ગયા જેનાથી દેશભરમાં લોકો ગમગીન છે. લોકો શહીદ જવાનોને પોત-પોતાની રીતે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. શહીદોની જીવનો બદલો લેવા માટે દેશભરના લોકો આક્રોશમાં છે. લોકો આ આક્રોશથી ભારત સરકાર પણ દબાણમાં છે.
આ વચ્ચે રાજસ્થાનના બિકાનેરના એક યુવકે પુલવામા આંતકી હુમલામાં શહીદ જવાનોને અનોખી રીતે શ્રદ્ઘાંજલિ આપી છે જે ચર્ચામાં છે. આ યુવકે પોતાના શરીરને શહીદોના નામે કરી દીધુ છે.
વાસ્તવમાં બિકાનેરના શ્રીડૂંગરગઢ તહસીલના મોમાસાર ગામમાં રહેતા ગોપાલ સારણે પોતાના શરીરને પુલવામામાં શહીદ થયેલા જવાનોના નામે કરી દીધુ છે. ગોપાલે પોતાના શરીર પર 71 શહીદોના નામનું ટેટૂ કરાવ્યુ છે જેમાં ગત દિવસોમાં પુલવામા હુમલાના 42 શહીદો સિવાય બિકાનેર જિલ્લાના 20 અને રતનગઢના 9 જવાનોના નામ શામેલ છે.
ગોપાલે પીઠ પર શહીદોના નામની ટેટૂ સિવાય ભારતના તિરંગો પણ બનાવ્યો છે. શાસન-પ્રશાસનથી નારાજ ગોપાલના મનમાં એ વાતનો ગુસ્સો છે કે ''બિકાનેરમાં શહીદ સ્મારક નથી.''
ઉલ્લેખનીય છે કે શહીદોમાં કોટાના હેમરાજ મીણા જયપુરના શાહપુરાના રોહિતાશ લાંબા ઘૌલપુરના ભગીરથ સિંહ ભરતપુરના જીતરામ ગુર્જર અને રાજસમ્દના નારાયણ ગુર્જર શામેલ છે. આ સાથે જ 14 ફેબ્રુઆરીના પુલવામા હુમલા સિવાય કાશ્મીરમાં IED બમ ડિફ્યૂઝ કરતા સમયે સેના મેજર ચિત્રેશ બિસ્ટ પણ શહીદ થઇ ગયા. ગત 5 દિવસોમાં 45 જવાનો શહીદ થતા દેશભરના લોકો ગમગીન થઇ ગયા છે.