કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ હાલ પાર્ટીથી નારાજ છે ત્યારે AAP નેતા ગોપાલ ઈટાલિયાના નિવેદનથી આગામી સમયમાં ગુજરાતનાં રાજકારણમાં મોટા ઊલટફેર થાય તેવા અણસાર દેખાઈ રહ્યા છે.
હાર્દિક પટેલ કોંગ્રેસ પાર્ટીથી નારાજ
AAP એ હાર્દિક પટેલને ખુલ્લુ આમંત્રણ આપ્યું
ગોપાલ ઈટાલિયાએ કહ્યું અમારી લાગણી છે હાર્દિક AAPમાં જોડાય
ગુજરાતમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ પાર્ટીઓ દ્વારા દિગ્ગજ નેતાઓની એક બીજામાં ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. ભાજપ અને AAP ધડાધડ કોંગ્રેસના નેતાઓની વીણી રહ્યા છે ત્યારે હાર્દિક પટેલને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 15, 2022
રાજકારણમાં ભૂકંપના એંધાણ
છેલ્લા બે દિવસથી હાર્દિક પટેલની નારાજગી બધા સામે આવી ગઈ છે ત્યારે AAP દ્વારા હાર્દિક પટેલને ખુલ્લુ આમંત્રણ આપી દેવામાં આવ્યું છે. એવામાં કોંગ્રેસ પાર્ટીમાં પ્રદેશ અધ્યક્ષ બાદના સૌથી મોટા નેતા જો પાર્ટી છોડીને AAPમાં જોડાય તો રાજકારણમાં મોટી હલચલ નિશ્ચિત છે. ગોપાલ ઈટાલિયા મીડિયા સામે કહ્યું કે અમે હાર્દિકને પાર્ટીમાં જોડાવવા માટે આમંત્રણ આપીએ છીએ અને અમારી લાગણી છે કે તેઓ AAPમાં જોડાય.
કેમ નારાજ છે હાર્દિક પટેલ?
નોંધનીય છે કે બે દિવસથી હાર્દિક પટેલ મીડિયા સામે ખૂલીને પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે, નરેશ પટેલ મુદ્દે પણ હાર્દિક પટેલે કોંગ્રેસ અને હાઇકમાન્ડને ઘણું બધુ સંભળાવ્યું. હાર્દિક પટેલે કહ્યું કે ઘણા નેતાઓ ઈચ્છે કે હું પાર્ટીને જતો રહું અને મેં રાહુલ ગાંધીને પણ ફરિયાદ કરી છતાં કોઈ નિર્ણય લેવાઈ રહ્યા નથી. તેમની નારાજગી છે કે કાર્યકારી અધ્યક્ષ હોવા છતાં પાર્ટીમાં કશું ચાલતું નથી અને કોઈ નિર્ણય તેઓ લઈ શકતા નથી.
કોંગ્રેસ પાર્ટી પણ હાર્દિક પર ગુસ્સે
હાર્દિક પટેલના નિવેદન બાદ કોંગ્રેસના નેતૃત્વમાં પણ ભારે નારાજગી જોવા મળી હતી. રઘુ શર્મા અને જગદીશ ઠાકોરે હાર્દિક પટેલને કડક શબ્દોમાં કહ્યું હતું કે આ બધી વાતો જાહેરમાં કરવાની જરૂર ન હતી. જોકે હવે જોવાનું થાય છે કે હાર્દિક પટેલ આગામી સમયમાં શું નિર્ણય લે છે.