કતારગામ બેઠક પરથી આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાની કારમી હાર, વિનુ મોરડિયા, કલ્પેશ વરિયા, ગોપાલ ઈટાલિયા વચ્ચે હતી જંગ
કતારગામ બેઠક પર ગોપાલ ઈટાલિયાની હાર
વિનુ મોરડિયા,કલ્પેશ વરિયા,ઈટાલિયા વચ્ચે હતી જંગ
જાણો આ બેઠકનો ઈતિહાસ
કતારગામ બેઠક પરથી આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા હારી ગયા છે. જ્યાં વિનુ મોરડિયા,કલ્પેશ વરિયા,ઈટાલિયા વચ્ચે હતી જંગ, જ્યા વિનુ મોરડિયાની જીત થઈ છે. ગુજરાતમાં અત્યાર સુધી બે પક્ષનો ચૂંટણી જંગ રહેતો હતો. પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીએ ત્રીજા પક્ષ તરીકે એન્ટ્રી મારી દીધી હતી, જેના કારણે આ વર્ષે ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ ખેલાયો હતો. જેમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા કતારગામની બેઠક પરથી ચૂંટણી મેદાને ઉતર્યા હતા જેઓ હારી ગયા છે, જ્યારે આ બેઠક પરથી ભાજપમાંથી વિનુ મોરડિયા અને કોંગ્રેસમાંથી કલ્પેશ વરિયા રાજકીય જંગમાં ઉતર્યા હતાં. જેને લઈ આ બેઠક ચર્ચાસ્પદ રહી હતી. આ બેઠક પર 2017ની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસે વચ્ચે અહીં રસાકસી સર્જાઈ હતી અને જેમાં ભાજપ ઉમેદવાર વિનોદ મોરડિયાએ કોંગ્રેસ ઉમેદવાર જિગ્નેશ મેવાસાને હરાવીને જીત હાંસલ કરી હતી.
જાતિગત સમીકરણો
કતારગામ બેઠક પર 2,77,436 મતદારો છે. જેમાં 1,54,779 પુરુષ મતદારો તેમજ 1,22,657 મહિલા મતદારો છે. આ બેઠક પર પટેલ સમાજના મોટાભાગના લોકો સુરતના કતારગામ મતક્ષેત્રમાં આવે છે. તેમજ આ બેઠક પર પ્રજાપતિ સમાજનું પ્રભૃત્વ પણ છે તેમજ મોટી સંખ્યામાં દલિત સમાજના મતદારો પણ છે. અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય ડાયમંડ અને ટેક્સટાઈલ છે. આ બેઠક પર કોંગ્રેસ અનેક સમીકરણો બેસાડ્યા હતા છતા 2012 અને 2017ની ચૂંટણી હાર મેળવી હતી.
આ બેઠકનો રાજકીય ઈતિહાસ
વર્ષ 2012ની ચૂંટણીમાં ભાજપે નાનુભાઈ વાનાણીને મેદાનમાં ઉતાર્યા હતા જ્યારે તેમની સામે કોંગ્રેસે નંદલાલ પાંડવને ટિકિટ આપી હતી. જેમાં નાનુભાઈ વાનાણી જંગી બહુમતીથી જીત્યા હતાં. 2017ની વિધાનસભા ચૂંટણીમાં નાનુ વાનાણીની ટિકિટ કાપીને વિનોદ મોરડિયાને ભાજપે ટિકિટ આપી હતી. જ્યારે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર સર્જાઈ હતી અને જિગ્નેશ મેવાસાને હરાવીને ભાજપે ફરી આ બેઠક કબજે લીધી હતી. કતારગામ વિધાનસભા બેઠક પર ભાજપનો દબદબો રહ્યો છે. ભાજપના સિટિગ ધારાસભ્ય વિનોદ મોરડિયા 2005થી 2020 સુધી ભાજપના કાઉન્સિલર રહેલા છે.