નવરાત્રીમાં બાંગ્લાદેશમાં દુર્ગા પૂજામાં રમખાણો ફાટી નીકળ્યા છે જેમા ત્રણ લોકોના મોતનાં સમાચાર સામે આવી રહ્યા છે.
બાંગ્લાદેશમાં ઠેર ઠેર રમખાણો
દુર્ગાપૂજામાં હુમલા બાદ ફાટી નીકળી હિંસા
ત્રણનાં મોત બાદ સરકારે સેના ઉતારી
સેનાને ઉતારવામાં આવી
બાંગ્લાદેશમાં હિન્દુઓ સાથે હિંસા બાદ ત્રણ લોકોના માર્યા ગયાનાં સમાચાર ફેલાતા આખા બાંગ્લાદેશમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ થઈ છે. હાલમાં પરિસ્થિતિને કંટ્રોલ કરવા માટે સરકારે 22 જિલ્લાઓમાં પેરા મિલીટરી ફોર્સ તૈનાત કરી દીધી છે.
Bangladesh: 3 killed, 60 injured in communal violence during Durga Puja celebrations
દુર્ગાપૂજામાં થઈ હિંસા, 3નાં મોત
હિન્દુઓમાં નવરાત્રીએ એટલે જગતજનનીની આરાધનાનો તહેવાર, માઈભક્તો માટેના સૌથી મોટા તહેવારનું પૂર્વ ભારતમા ખૂબ મહત્વ છે. બંગાળી લોકો દુર્ગા પૂજા કરીને આ તહેવારની ઉજવણી કરે છે ત્યારે નવરાત્રીમાં ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં દુર્ગા પૂજા દરમિયાન હિંસાની ઘટનાઓ સામે આવી છે. બાંગ્લાદેશ પોલીસ અનુસાર દુર્ગા પૂજા દરમિયાન ચાંદપૂર જિલ્લામાં હિન્દુ મંદિર પર ભીડ તૂટી પડી અને હુમલાઓ કર્યા. જે બાદ હિંસામાં ફાયરિંગમાં ત્રણ લોકોના મોત સામે આવ્યા છે.
હિન્દુઓને બચાવવા માટે પોકાર
બાંગ્લાદેશ હિન્દુ યુનિટી કાઉન્સિલ દ્વારા ટ્વિટ કરીને કહેવામાં આવ્યું છે કે 13 ઓકટોબરનાં રોજ આઠમના નોરતે જ અનેક દુર્ગા પંડાલમાં તોડફોડ કરવામાં આવી છે. આજે આખી દુનિયા ચૂપ છે. નોંધનીય છે કે કાઉન્સિલ દ્વારા બાંગ્લાદેશનાં પ્રધાનમંત્રી શેખ હસીનાથી માંગ કરવામાં આવી છે કે હિન્દુઓને સુરક્ષા આપવામાં આવે. કાઉન્સિલે કહ્યું કે મુસ્લિમો નથી ઇચ્છતા કે હિન્દુઓ પૂજા કરે. મહેરબાની કરીને આર્મી મોકલવામાં આવે.
તાલિબાનની અસરઃ મા દુર્ગાની પૂજા કરવા દેતા નથી બાંગ્લાદેશી કટ્ટરપંથી
અફઘાનિસ્તાનમાં તાલિબાન રાજની વાપસીની સાથે ગુપ્તચર સૂત્રોએ બાંગ્લાદેશને લઇને ચેતવણી જારી કરી હતી. ગુપ્તચર સૂત્રોનું કહેવું હતું કે બાંગ્લાદેશમાં જમાત-એ-મુઝાહિદીન તાલિબાનના રાજમાં માથું ઊંચકી શકે છે. આ વાતને બળ મળી રહ્યું છે. નવરાત્રિ દરમિયાન માતા દુર્ગાનાં પંડાલોમાં કરાયેલી તોડફોડથી. બાંગ્લાદેશની કટ્ટરપંથી તાકાતો હિંદુ સમુદાયને દુર્ગાપૂજા કરવાથી રોકવાનો પ્રયાસ કરી રહી છે. ટીપુ સુલતાન રોડ પર આવેલા દુર્ગા મંદિરમાં હિંદુઓને સ્થાનિક મુસ્લિમ દબંગોએ નવરાત્રિની પૂજા કરતા રોક્યા હતા. બાંગ્લાદેશ હિંદુ યુનિટી કાઉન્સિલે દાવો કર્યો છે કે સ્થાનિક ઇસ્લામી આતંકવાદીઓએ નવરાત્રિ દરમિયાન શંખનિધિ મંદિરમાં હિંદુ શ્રદ્ધાળુઓને માતા દુર્ગાની પૂજા ન કરવા દીધી. સરકારે દુર્ગા પૂજા માટે હિંદુઓને એક અસ્થાયી જગ્યા આપી હતી.
ઠેર ઠેર મંદિરો અને પૂજા પંડાલમાં ભયંકર તોડફોડ
અધિકારીઓએ આ ઘટનાઓને ગંભીરતાથી લેતા પ્રમુખ પંડાલોની બહાર અર્ધસૈનિક દળો તહેનાત કર્યાં છે અને અપરાધીઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાનું કહ્યું છે. સ્થાનિક અધિકારીઓ સાથે જોડાયેલાં સૂત્રોએ જણાવ્યું કે બીએનપી અને જમાત-એ-ઇસ્લામના કેટલાક બદમાશોએ નનુયાર દિધિર પર મંદિરમાં દુર્ગા પંથમાં ગણેશનાં ચરણોમાં પવિત્ર કુરાનની એક પ્રતિમા લગાવી, અરાજક તત્ત્વએ તેની કેટલીક તસવીરો લીધી અને ભાગી ગયા. કેટલાક કલાકોમાં ફેસબુકનો ઉપયોગ કરીને ભડકાઉ તસવીરોની સાથે પ્રચાર જંગલની આગની જેમ ફેલાઇ ગયો. ગુસ્સે ભરાયેલી ભીડે પૂજા પંડાલો અને મંદિરોમાં તોડફોડ કરી.