‘મહાભારત’ સીરિયલમાં શકુની મામાનું પાત્ર ભજવીને ખુબ જ જાણીતા બનેલા ગૂફી પેંટલની તબીયત નાજુક હોવાનું સામે આવ્યું છે. તેઓની હાલત એટલી ગંભીર છે કે હોસ્પિટલમાં ભરતી કરવાની નોબત આવી છે. ગૂફી છેલ્લા ઘણા સમયથી બીમારીમાં સપડાયા છે અને હવે તેમની હાલત વધુ ખરાબ થઇ ચૂકી છે. ટીવી એક્ટ્રેસ ટીના ઘાઇએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને ગૂફી પેંટલની હાલત અંગે માહિતી આપી હતી. ટીના ઘાઇએ પોતાના ઇંસ્ટાગ્રામ પર ગૂફી પેન્ટલની એક તસવીર શેર કરી તેમના સ્વાસ્થ્ય અંગે માહિતી આપી છે. અભિનેત્રીએ લખ્યું કે ગૂફી પેંટલજી મુશ્કેલીમાં છે, પ્રાર્થના કરો. ઓમ સાઇ રામ પ્રેયર્સ, પ્રેયર્સ ફોર હીલિંગ, પ્રેયર્સ નીડેડે. તો ટીના ઘાઇની આ પોસ્ટ બાદ તમામ ફેન્સ કોમેન્ટ બોક્સમાં વેટરન એક્ટર ઝડપથી સાજા થઇ જાય તેવી પ્રાર્થના કરી રહ્યાં છે.
તો મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ટીના ઘાઇએ એવું પણ કહ્યું કે ગૂફી પેંટલના પરિવારજનોએ તેમની તબીયત અંગે કોઇપણ માહિતી શેર કરવાની મનાઇ કરી છે. ટીનાએ કહ્યું કે ગૂફી ઝડપથી સાજા થઇ જાય તેવી પ્રાર્થના કરો. મહત્વનું છે કે ગૂફી ઘણા સમયથી બીમાર છે અને 31 મેના રોજ તેમની તબીયત વધુ ખરાબ થઇ ગઇ હતી. ત્યારબાદ તેઓને હોસ્પિટલમાં ભરતી કરવા પડ્યા હતા.
શકુની મામાના રોલને કારણે લોકોના માનસ પર યાદ
ગૂફી પેંટલના કરિયરની વાત કરીએ તો તેઓએ 1980ના દશકમાં અનેક ફિલ્મોમાં કામ કર્યુ. તો તેઓ ટીવી સીરિયલ્સમાં પણ નજર આવ્યા. જો કે તેઓને બી.આર. ચોપડાની સીરિયલ મહાભારતમાં શકુની મામાનો રોલ મળ્યો અને તેમને અલગ ઓળખ મળી હતી. આજે પણ શકુની મામાના રોલને લોકોના માનસ પર યાદ છે. તમને જણાવી દઇએ કે ગૂફી એક્ટર બન્યા પહેલા એન્જીનિયર હતા.