કેન્દ્ર સરકારે નાના વેપારીઓને મોટી રાહત આપી છે. આગામી 1 એપ્રિલ 2020 થી ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) પોતાના ફોનથી માત્ર SMS મોકલીને GST રિટર્ન ફાઇલ કરી શકે છે.
આ સુવિધાનો ફાયદો ઉઠાવવામાં માટે એકમાત્ર શરત છે કે ટર્નઑવર NIL હોવુ જોઇએ. આ સિવાય નાના વેપારીઓ 3 મહિનામાં સહજ અને સુગમ ફોર્મ દ્વારા એક વાર રિટર્ન ફાઇલ કરવું પડશે.
GST નેટવર્કના CEO પ્રકાશકુમારે જણાવ્યુ હતું કે, ''GST નંબર લીધો હોય તો તેમને રિટર્ન ફાઇલ કરવું પડે છે. એટલા માટે નવી પ્રણાલીમાં એક ખાસ કેટેગરી ઊભી કરાઇ છે. આવા કરદાતા પોતાના રજિસ્ટર્ડ મોબાઇલ પરથી માત્ર SMS મોકલીને તેમનું રિટર્ન ફાઇલ કરી શકશે.''
SMS ની મદદથી ભરાઇ જશે GST રિટર્ન:
એક રિપોર્ટ અનુસાર નવી સિસ્ટમ હેઠળ કરદાતા-નીલ ટર્નઓવર ધરાવનાર વેપારીઓએ માત્ર એક SMS કરવાનો રહેશે અને તેમના રજિસ્ટર્ડ મોબાઇલ પર ઓટીપી આવશે. આ OTPને પરત મોકલવાથી તેમનું રિટર્ન ફાઇલ થઇ ગયું છે તેમ મનાશે.
એપ્રિલ 2002થી સહજ અને સુગમ GST રિટર્ન ફોર્મ થશે ઉપલબ્ધ:
GST નેટવર્કના CEO પ્રકાશકુમારે જણાવ્યુ કે, વર્ષમાં 5 કરોડ રૂપિયા સુધીની ટર્નઑવરવાળા વેપારીઓ પહેલા GST 3B ફોર્મ ભરવુ પડતુ, પરંતુ હવે આ સીમા સુધી વેપારી કરનારા લોકો માટે 2 ફોર્મ બનાવવામાં આવ્યા છે. જે વેપારીઓ વર્ષમાં 5 કરોડ સુધી વેપાર કરે છે અને B2B બિઝનેસ કરે છે, તો તેમના RET-2 ફોર્મ બનાવવામાં આવ્યુ છે, જેને સહજ નામ આપવામાં આવ્યુ છે. આમાં વેપારીને ટેક્સ તો દર મહિને ભરવો પડશે પરંતુ રિર્ટન 3 મહિનામાં ભરવુ પડશે. આજ રીતે પાંચ કરોડ રૂપિયા સુધી વેપાર કરનારા જે વેપાર માત્ર જથ્થાબંધ માલ વેચે છે અથવા તો B2B વેપાર કરે છે, આ માટે GST RET-3 ફોર્મ અથવા તો સુગમ ફોર્મ બનાવવામાં આવ્યુ છે. આ ફોર્મ ત્રિમાસિક આધાર પર ભરવામાં આવશે પરંતુ ટેક્સની ચૂકવણી માસિક કરવી પડશે.