ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના ચોથા તબક્કામાં મતદાન માટે બુધવારે સવારે બૂથ પર પહોંચેલી બહુજન સમાજ પાર્ટી પ્રમુખ માયાવતીએ ભાજપના પૂર્વ અધ્યક્ષ અને ગૃહમંત્રી અમિત શાહના વખાણ કર્યા છે.
અમિત શાહે માયાવતીને લઈને સોફ્ટ વલણ અપનાવ્યું
બંને નેતાઓએ એકબીજાના કર્યા વખાણ
બીએસપી એકલા હાથે લડી રહી છે ચૂંટણી
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના ચોથા તબક્કામાં મતદાન માટે બુધવારે સવારે બૂથ પર પહોંચેલી બહુજન સમાજ પાર્ટી પ્રમુખ માયાવતીએ ભાજપના પૂર્વ અધ્યક્ષ અને ગૃહમંત્રી અમિત શાહના વખાણ કર્યા છે. અમિત શાહ તરફથી બીએસપીને મજબૂત ગણાવાના સવાલ પર માયાવતીએ કહ્યું કે, આ તેમની મહાનતા છે, તેમણે સચ્ચાઈ સ્વિકારી છે. માયાવતીએ એવું પણ કહ્યું કે, ફક્ત દલિતો અને મુસલમાનોના જ નહીં, પણ તમામ વર્ગના વોટ તેમની પાર્ટીને મળી રહ્યા છે.
માયાવતીએ પણ અમિત શાહ પ્રત્યે નરમ વલણ અપનાવ્યું
લખનઉના માલ એવન્યૂ સ્થિત બૂથ પર વોટ નાખ્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં માયાવતીએ કહ્યું કે, આજે ચોથા તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. મારી મતદારોને અપીલ છે કે, આ લોકતંત્રનો ઉત્સવ છે અને વોટ આપવા માટે જરૂરથી બહાર આવવું જોઈએ. આપનો એક એક વોટ ખૂબ જ કિંમતી છે. ખાસકરીને નબળા વર્ગના લોકોને કહેવા માગુ છુ કે, પરમ પૂજ્ય ડો. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના અથાક પ્રયત્નોથી વોટ આપવાનો અધિકાર મળ્યો છે, એટલા માટે તેનો ઉપયોગ કરવો જરૂરી છે. આમ તો મારી દરેક મતદારોને અપીલ છે કે, લોકતંત્રને મજબૂત કરવા માટે વોટ આપવો જરૂરી છે.
માયાવતીના કર્યા વખાણ
અમિત શાહને લઈને પૂછાયેલા સવાલના જવાબમાં બસપા સુપ્રીમોએ કહ્યું કે, હું સમજુ છું કે, આ તેમની મહાનતા છે કે તેમણે સચ્ચાઈનો સ્વિકાર કર્યો છે. પણ હું તેમને એ પણ કહેવા માગુ છુ કે, સમગ્ર ઉત્તર પ્રદેશમાં બીએસપી એકલા દલિતો અને મુસલમાનોની જ નહીં, પણ અતિ પછાત અને સવર્ણ સમાજ એટલે કે, સર્વ સમાજના મત બીએસપીને મળી રહ્યા છે.
અમિત શાહે શું કહ્યું હતું
હાલમાં જ એક ટીવી ઈંટરવ્યૂમાં અમિત શાહે કહ્યું હતું કે, માયાવતીએ પોતાના પ્રાસંગિકતા ખોઈ દીધી નથી. તેમની પાર્ટીને ઉત્તર પ્રદેશમાં વોટ મળશે. બસપાએ પોતાની પ્રાસંગિકતા બનાવી રાખી છે. મને વિશ્વાસ છે કે, તેમને વોટ મળશે. માયાવતીએ જમીન પર પકડ બનાવી રાખી છે. મને એ નથી ખબર કે, તેમને કેટલીય સીટો મળશે, પણ મજબૂત પકડ હાલમાં પણ છે. મુસ્લિમ વોટ પણ મોટી સંખ્યામાં માયાવતી સાથે છે. જ્યારે શાહને પૂછવામાં આવ્યું કે, શું તેનાથી ભાજપને ફાયદો થશે. તો તેમણે કહ્યું કે, મને નથી ખબક કે, તેનાથી ભાજપને ફાયદો થશે કે નુકસાન. આ એ સીટ પર નિર્ભર કરે છે, પણ એ સાચુ નથી કે, માયાવતીનું રેલવેંસ ખતમ થઈ ચુક્યું છે.