બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / good news youth staff selection commission will soon recruit 42 thousand posts

GOOD NEWS / યુવાનો માટે ખુશખબરી: સ્ટાફ સિલેક્શન કમિશન ટૂંક સમયમાં કરશે 42,000 પદો પર ભરતી

Last Updated: 09:15 AM, 20 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકારી વિભાગોમાં નોકરી કરવા ઈચ્છતા યુવાનો માટે આગામી સમયમાં ઉત્તમ અવસર આવશે. SSCમાં મોટા પાયે ભરતી થવાની છે. જેના માટે યુવાનોએ તૈયારીઓ શરૂ કરી દેવી જોઈએ.

  • નોકરી શોધતા યુવાનો માટે ખુશખબર
  • SSCમાં થશે મોટા પાયે થશે ભરતી
  • વર્ષના અંત સુધીમાં આવશે મોટી ભરતી

સ્ટાફ સિલેક્શન કમિશન ટૂંક સમયમાં જ 15,247 પદ પર નિમણૂંક પત્ર જાહેર કરવાની પ્રક્રિયા પુરી કરશે. આ પત્ર આગામી થોડા મહિનાની અંદર અલગ અલગ વિભાગે દ્વારા જાહેર કરવામાં આવશે. પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરોએ એક ટ્વિટ કરીને આ સમાચારની પુષ્ટિ કરી છે. 

PIBએ એવું પણ કહ્યું છે કે, ડિસેમ્બર 2022 પહેલા 42,000 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. એસએસસીએ પોતાની આગામી પરીક્ષાઓ માટે 67,768 ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવાની યોજના તૈયાર કરી છે. 

આ સમાચાર એવા સમયે આવ્યા છે, જ્યારે દેશમાં અગ્નિપથ યોજનાને લઈને હિંસા અને વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ત્યારે આવા સમયે વિશ્લેષકોનું માનવું છે કે, એસએસસીની આ જાહેરાત રોજગારની શોધમાં લાગેલા યુવાનો માટે એક ઉત્તમ મોકો બની શકશે.

અહીં ઉલ્લેખનીય છે કે, 14 જૂન 2022ના રોજ પ્રધાનમંત્રી મોદીએ એલાન કર્યું છે કે, આગામી 1.5 વર્ષમાં કેન્દ્ર સરકારના અલગ અલગ મંત્રાલયોમાં અને વિભાગોમાં 10 લાખ પદો પર ભરતી પ્રક્રિયા કરવામાં આવશે. આ જ ક્રમમાં રક્ષામંત્રી રાજનાથ સિંહે યુવાનોને વધારે મોકો આપતા ત્રણ સેનામાં ભરતી કરવા માટે અગ્નિપથ નામની યોજનાની શરૂઆત કરી છે. જે યોજના અંતર્ગત આગામી થોડા સમયમાં ચાર વર્ષ માટે સેનામાં નોકરી કરવાનો અવસર મળશે.

 

સંકળાયેલા મુદ્દાઓ

government job job recruitment job vaccancy in india staff selection commission Job
Pravin
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ