પંચમહાલ સહિત ત્રણ જિલ્લાના પશુપાલકો માટે ખુશીના સમાચાર આવી ગયા છે. પંચામૃત ડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો છે. મળતી માહિતી પ્રમાણે, પંચામૃત ડેરીએ દૂધના ભાવમાં પ્રતિકિલો ફેટે 20 રૂપિયાનો વધારો કર્યો છે. ડેરીના આ મહત્વપૂર્ણ નિર્ણયનો લાભ પંચમહાલ, દાહોદ અને મહિસાગર જિલ્લાના 3 લાખથી પણ વધુ પશુપાલકોને મળશે.