AARએ મોટો નિર્ણય લીધો છે. તેના આ નિર્ણયથી સેકન્ડ હેન્ડ જ્વેલરીના રીસેલ પર જીએસટી ઓછી થઈ જશે.
AARએ લીધો મોટો નિર્ણય લીધો
સેકન્ડ હેન્ડ જ્વેલરીના રીસેલ પર જીએસટી ઓછી થશે
સેકન્ડ હેન્ડ જ્વેલરી ખરીદદારો પર ઓછો થશે ટેક્સ
ગોલ્ડ જ્વેલરી ખરીદ વેચાણ પર લાગેલી જીએસટીને લઈને Authority for Advance Ruling (AAR)એ મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી સેકન્ડ હેન્ડ જ્વેલરીના રીસેલ પર જીએસટી ઓછી થઈ જશે. જેને ફાયદો એ ગ્રાહકોને થશે જે સેકન્ડ હેન્ડ જ્વેલરી ખરીદે છે. તેમને ઓછો ટેક્સ ચૂકવવો પડશે.
શું છે AARનો નિર્ણય
AARની કર્ણાટક બેચે કહ્યું છે કે જ્વેલર જ્વેલરી પીગળાવવી બુલિયન નથી બદલી રહ્યો અને ફરી નવી જ્વેલરી નથી બનાવી રહ્યો બલ્કે તેની સફાઈ અને પોલિશિંગ કર્યા બાદ તેને ફોર્મને બદલીને તેને વેચી રહ્યો છે એટલા માટે જ્વેલરીની ખરીદી અને વેચાણ પર જે માર્જિન થશે ફક્ત તેના પર જ જીએસટી લાગશે.
શું કહે છે એક્સપર્ટ
જાણકારોનું કહેવું છે કે આ નિર્ણયના કારણે સેકન્ડ હેન્ડ જ્વેલરીના રિસેલ પર જીએસટી ઘણી ઓછી થઈ જશે. હાલ ખરીદદારો પાસેથી સોનાના ઘરેણાની કુલ વેલ્યૂના 3 ટકા ચાર્જ ઈન્ડસ્ટ્રી વસૂલે છે. પરંતુ આ નિયમ બાદ એવું નહીં થાય. કુલ કીંમતની જગ્યા એ ફક્ત નફામાં જ જીએસટી લાગશે. મતલબ કે જ્વેલરીની વેલ્યૂ 1 લાખ રુપિયા છે તો તેના 3 ટકા જીએસટી થયુ 3000 રુપિયા. હવે જો નફાની વાત કરીએ તો માની લો દાગીના 80 હજારની ખરીદીના છે અને 1 લાખમાં વેચ્યા છે તો નફો આવ્યો 20 હજાર રુપિયા. તો 20 હજાર પર 3 ટકા જીએસટી થઈ 600 રુપિયા.
સેકન્ડ હેન્ડ જ્વેલરી ખરીદદારો પર ઓછો થશે ટેક્સ
AMRG & Associatesના સીનિયર પાર્ટનર રજત મોહનને કહ્યું છે કે જ્વેલર્સના હાથમાં ટેક્સ ક્રેડિટ ફરજિયાત પણાથી બચવા માટે વધારે જ્વેલર્સ સામાન્ય આદમી અથવા બિનરજીસ્ટર્ડ ડીલર પાસેથી જુની જ્વેલરી ખરીદે છે. મોહને કહ્યું કે કર્ણાટક AARના ફક્ત ખરીદ મૂલ્ય અને વેચાણ મૂલ્યની વચ્ચેનાં અંતર પર જીએસટી લગાવવાનો નિર્ણય ગ્રાહકોના ટેક્સના ભારને ઓછો કરશે. જેની અસર ઈન્ડસ્ટ્રી પર પડશે.