કોરોનાને કારણે માર્ચમાં દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું હતું. જેના કારણે દેશમાં તમામ પ્રકારના આર્થિક કામ અટવાઈ ગયા હતા. જેના કારણે ઉદ્યોગો સંપૂર્ણ બંધ હતા. પરંતુ આ દરમિયાન સરકાર માટે સારા સમાચાર આવી રહ્યા છે.
અર્થવ્યવસ્થામાં સુધારાના સંકેતો મળ્યા છે
નાણા વર્ષ 2020-21ના પહેલા ક્વાર્ટરમાં જીડીપીમાં 23.9 ટકાનો ઘટોડા નોંધાયો હતો
ઈકોનોમી સાથે જોડાયેલા રાહતના સમાચાર આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે કોરોના સંકટના કારણે સૌથી વધારે ભારતીય અર્થવ્યવસ્થાને અસર થઈ છે. નાણા વર્ષ 2020-21ના પહેલા ક્વાર્ટરમાં જીડીપીમાં 23.9 ટકાનો ઘટોડા નોંધાયો હતો. પરંતુ ઓક્ટોમ્બર મહિનાના પહેલા દિવસથી જ એક પછી એક ઈકોનોમી સાથે જોડાયેલા રાહતના સમાચાર આવી રહ્યા છે.
વીજળીની ખપત વધ્યો છે. અર્થવ્યવસ્થામાં સુધારાના સંકેતો મળ્યા છે અને સપ્ટેમ્બર મહિનામાં વીજળીના ખપતમાં ઘણો વધારો થયો છે. દેશની કુલ વીજળીની ખપત સપ્ટેમ્બરમાં 5.6 ટકા વધી 113.54 અરબ યુનિટ્સ રહી છે. આ પહેલા તે સતત 6 મહિના સુધી વીજળીની કુલ ખપતમાં ઘટાડો નોંધાયો હતો. વીજળીની ખપત વધવાનો મતલબ છે કે કોરોનાની વચ્ચે હવે ઔદ્યોગિક અને વ્યાપારિક ગતિવિધોમાં તેજી આવવી
સરકારનો ખજાનો ધીરે ધીરે ફરી ભરાી રહ્યો છે. સપ્ટેમ્બરમાં જીએસટી કલેક્શનમાં નોંધનીય વધારો થયો છે. નાણામંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર સપ્ટેમ્બરમાં જીએસટી કલેક્શન 95480 કરોડ રુપિયા થઈ રહ્યો છે. જે ગત વર્ષ સપ્ટેમ્બરની સરખામણીએ 4 ટકાથી વધારે છે. સપ્ટેમ્બર 2019માં કુલ જીએસટી કલેક્શન 91916 કરોડ રુપિયા રહ્યો હતો. ગત મહિનાની સરખામણીએ જીએસટી કલેક્શન વધ્યુ છે. ગત મહિને આ 86,449 હતુ.
આ ઉપરાંત કોરોના સંકટની વચ્ચે સપ્ટેમ્બરમાં મેન્યૂફેક્ચરિંગના મોર્ચાથી સારા સમાચાર આવી રહ્યા છે. PMIના આંકડામાં જણાવ્યાનુંસાર સપ્ટેમ્બરમાં મેન્યૂફેક્ચરિંગ ગતિવિધિઓ સાડા આઠ વર્ષના ઉચ્ચ સ્તર પર પહોંચી ગઈ છે. દેશમાં મૈન્યૂફેક્ચરિંગની ગતિવિધિઓમાં સપ્ટેમ્બરમાં સતત બીજા મહિનાથી સુધારો થયો છે. આઈએચએસ માર્કિટ ઈન્ડિયાનું મેન્યૂફેક્ચરિંગ પરચેજિંગ મેનેજર ઈન્ડેક્શ(પીએમઆઈ) સપ્ટેમ્બરમાં વધીને 56.8 પર પહોંચ્યું છે. જે ઓગસ્ટમાં 52 પર હતુ.
રોજગારના મોર્ચા પર સપ્ટેમ્બરમાં થોડી સ્થિતિ સુધરી છે. જેનાથી અર્થવ્યવસ્થાને બળ મળ્યું છે. સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયા સુધામાં રાષ્ટ્રીય સ્તર પર બેરોજગારીનો દર ઘટીને 6.7 ટકા થઈ ગયો છે. ઓગસ્ટમાં 8.3 ટકા નોંધાયો હતો.
સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયા ઈકોનોમીના આંકડા મુજબ 29 સપ્ટેમ્બરે દેશમાં શહેરી વિસ્તારમાં બેરોજગારી 8.5 ટકા અને ગ્રામીણ વિસ્તારમાં બેરોજગારી દર 5.8 ટકા નોંધાયો છે. શહેરી વિસ્તારમાં બેરોજગારીની સ્થિતિ સુધારા પર છે. પરંતું સંકટ હજુ યથાવત છે.