ભારતની કોરોનીની દેશી વેક્સીન કોવેક્સીનના બીજા ચરણના હ્યુમન ટ્રાયલની તૈયારીઓ શરુ થઈ ચૂકી છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યાનુંસાર ઈસ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ અને એસયૂએમ હોસ્પિટલમાં ટ્રાયલના પ્રિંસિપલ ઈનવેસ્ટિગેટર ડૉ. ઈ વેંકટ રાવે સોમવારે આ વિશે જાણકારી આપી છે. ડૉ. ઈ વેંકટ રાવે જણાવ્યું કે ટ્રાયલનું પહેલું ચરણ હજુ ચાલુ છે. પરંતુ અમે જલ્દી બીજુ ચરણ શરુ કરવાની યોજના બનાવી રહ્યા છીએ. ધ્યાનમાં રહે કે હૈદરાબાદની કંપની ભારત બાયોટેકે આઈસીએમઆરના સહયોગથી આ રસી તૈયાર કરી છે. આ વેક્સીન પર દેશની મોટી આશા છે.
આ વેક્સીન પર દેશની મોટી આશા છે
ડૉ. ઈ વેંકટ રાવે જણાવ્યું કે ટ્રાયલનું પહેલું ચરણ હજુ ચાલુ છે પણ
જલ્દી બીજુ ચરણ શરુ કરવાની યોજના બનાવી રહ્યા છે ડોક્ટર
ધ્યાનમાં રહે કે આઈએમએસ અને એસયૂએમ હોસ્પિટલ દેશના તે 12 સ્વાસ્થ્ય સંસ્થાઓમાં સમાવિષ્ટ છે. જેમને આઈસીએમઆરના કોવૈક્સીનના હ્યુમન ટ્રાયલ માટે પસંદ કરાયા છે. વેક્સીનના ટ્રાયલ માટે વોલેન્ટિયર્સના બ્લડ સેમ્પલ લેવાઈ ચૂક્યા છે. જેથી એ જોઈ શકાય કે તે એન્ટીબોડીના સંદર્ભમાં કેટલા અસરદાર છે. ડો. રાવે જણાવ્યું કે પહેલા ચરણના પરિણામ ઉત્સાહજક છે. કોઈ સાઈડ ઈફેક્ટ જોવા નથી મળ્યા.
રાવે જણાવ્યું કે 3થી 7 દિવસથી ચાલેલી સ્ક્રીનિંગ પ્રોસેસમાં પસંદ કરવામાં આવેલા એક વોલેન્ટિયરને રસીના 2 ડોઝ આપવામાં આવ્યા હતા. પહેલો ડોઝ ઝીરો દિવસથી આપી દેવામાં આવ્યો હતો. બ્લડ સેમ્પલ લેવાયા અને 14 દિવસ બાદ બીજો ડોઝ આપવામાં આવ્યો. આ બાદ બ્લડ સેમ્પલ લેવાયા.
આઈસીએમઆર અને ભારત બાયોટેકની Covaxin એક ઈનએક્ટિવેટેડ રસી છે. જેને કોરોના વાયરસના તે પાર્ટિકલ્સ માટે તૈયાર કરવામાં આવી છે જેને નિષ્ક્રય કરી દેવાય અથવા મારી નાંખીએ તો તે ચેપ ન ફેલાવી શકે. આ રસીથી એન્ટીબોડી બને છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ હૈદરાબાદની ફાર્મા કંપની ભારત બાયોટેકે દાવો કર્યો હતો કે તેમના વૅક્સિનના ફેઝ 1 અને ફેઝ 2ના હ્યુમન ટ્રાયલને DCGI તરફથી લીલી ઝંડી મળી ગઈ છે. કંપનીએ એ પણ કહ્યું છે કે ટ્રાયલનું કામ જુલાઈના પ્રથમ સપ્તાહમાં શરૂ કરવામાં આવશે. મહત્વનું છે કે ભારત બાયોટેકને વૅક્સિન બનાવવાનો જૂનો અનુભવ છે.