કેન્દ્વના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તાજેતરમાં સરકારી કર્મચારીઓના પેન્શન સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યા છે, જે અંતર્ગત સરકારી કર્મીઓ અને પેન્શનરો થશે સીધો ફાયદો
સરકારે વધાર્યો મોંઘવારી ભથ્થાનો દર 18 થી વધારી 28 કર્યો
કર્મચારીના મૃત્યુ બાદ મળતી પેન્શનની શરતો હવે નાબૂદ
કેન્દ્વના કર્મચારીઓ એને પેન્શનરોને સીધો લાભ
આશ્રિતો માટે પેન્શન માટે 7 વર્ષની સેવાની શરતનો નિયમ નાબૂદ
નવા નિયમ મુજબ, સરકારી કર્મચારીના આશ્રિતો માટે પેન્શન માટે 7 વર્ષની સેવાની શરતનો નિયમ નાબૂદ કરવામાં આવ્યો છે. હવે જો કોઈ કર્મચારીની 7 વર્ષની સેવા પૂરી થાય તે પહેલા તેનું મૃત્યુ થાય છે, તો પેન્શનના 50 ટકા નાણાં કર્મચારીના પરિવારને આપવામાં આવશે. એટલે કે, હવે સરકારી કર્મચારીના મૃત્યુ બાદ મળતી પેન્શનની શરતો નાબૂદ કરવામાં આવી છે.અગાઉ ઘણા કિસ્સાઓમાં, આ સ્થિતિને કારણે, પરિવારના સભ્યો પેન્શનનો લાભ મેળવી શકતા ન હતા.
સરકારે વધાર્યો મોંઘવારી ભથ્થાનો દર
લાંબી રાહ જોયા બાદ કેન્દ્વ સરકારે મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે. કેન્દ્વ સરકારે મોંઘવારી ભથ્થું ફરીથી પુનઃ સ્થાપિત કર્યું છે. કેન્દ્વીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થુ અને મોંઘવારી રાહત હાલના 17 ટકા વધારી 28 ટકા કરવામાં આવી છે. આ નવા દરો 1લી જુલાઈ 2021થી લાગુ થશે
કેન્દ્વીના કર્મચારીઓ એને પેન્શનરોને સીધો લાભ
નાણાં મંત્રાલયે એપ્રિલ 2020માં કોરોના સંકટને કારણે કેન્દ્વ સરકારે દેશના લગભગ 48 લાખ કર્મીઓ અને 61 લાખ પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં વધારો રોકવાનો નિર્ણય કર્યો હતો. તેમજ 30 જૂન 2021 સુધી DA નો લાભ મળ્યો નથી. જેથી હવે સરેરાશ 48 લાખ કેન્દ્વીય કર્માચારીઓ અને 65 લાખ પેન્શનરોને સરકારના આ પગલાનો લાભ મળશે. તેનાથી સરકારનો ખર્ચ લગભગ રૂપિયા 34,401 કરોડ વધશે