રાજ્ય સરકાર ચણા અને રાયડાની પણ ટેકાના ભાવે ખરીદી કરશે. 1 એપ્રિલથી 31 મે 2020 સુધી સરકાર ચણા અને રાયડા ખરીદશે. ચણાની ખરીદી માટે 95 અને રાયડાની ખરીદી માટે 35 કેન્દ્ર નક્કી કરાયા છે. આ માટે તમામ જિલ્લા પુરવઠા અધિકારીને પણ લેખિતમાં સૂચના અપાઈ ગઈ છે. ખેડૂતો નક્કી કરાયેલા કેન્દ્ર પર ચણા અને રાયડાનું વેચાણ કરી શકશે.
ચણા-રાયડાની ટેકાના ભાવે થશે ખરીદી
રાજ્ય સરકાર કરશે ટેકાના ભાવે ખરીદી
1 એપ્રીલથી 31મે સુધી કરાશે ખરીદી
ચણા અને રાયડાની ખેતી કરનારા ગુજરાત ખેડૂતો માટે સારા સમાચાર છે. અમરેલી જિલ્લામાં આ વર્ષે ચણાનું સારૂ એવું વાવેતર કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરાઇ છે. મગફળી બાદ હવે ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. 1 એપ્રિલથી આ ખરીદી શરૂ થશે અને 31 મે સુધી સરકાર ખેડૂતોના ચણા અને રાયડાના પાકની ટેકાના ભાવે ખરીદી કરશે.
મહત્વપૂર્ણ છે કે ટેકાના ભાવે ખરીદી કરવા માટે રાજ્ય સરકારે રાજ્યના તમામ જિલ્લા પુરવઠા અધિકારીઓને લેખિતમાં સૂચનાઓ આપી દીધી છે. તો ટેકાના ભાવે ખરીદી કરવા માટે વિવિધ ખરીદકેન્દ્રો પણ તૈયાર કરવામાં આવ્યા છે. ચણાની ટેકાના ભાવે કુલ 95 કેન્દ્રો પરથી ખરીદી કરાશે. જ્યારે 35 કેન્દ્રો પરથી રાયડાની ખરીદી કરવામાં આવશે.