ખાનગી ટ્રેન તેજસ બાદ હજુ એક વધુ ટ્રેન ખાનગી બનવા જઈ રહી છે. અમદાવાદ અને મુંબઈ વચ્ચે ચાલતી ટ્રેન શતાબ્દી ટ્રેન હવે આઈ.આર.ટી.સીને સોંપી દેવામાં આવશે. હવે ટ્રેનમાં તેજસ જેવી તમામ સુવિધાઓ મળશે. જો કે અત્યાર કરતાં ટ્રેનનું ભાડું પછી વધી જશે.
શતાબ્દીનું સંચાલન પણ આઈઆરસીટીસીને સોંપવાની વિચારણા
અમદાવાદ -મુંબઈ રૂટ પર દોડતી શતાબ્દી ટ્રેન હવે ખાનગી ટ્રેન બનવા જઈ રહી છે
શતાબ્દી ટ્રેનને પણ આઈ.આર.સી.ટી.સી.ને સોંપી દેવાનો તખ્તો તૈયાર થઈ ચૂક્યો છે
અમદાવાદ -મુંબઈ વચ્ચે દોડતી શતાબ્દી ટ્રેન હવે ખાનગી બનશે
અમદાવાદ -મુંબઈ વચ્ચે દોડતી ખાનગી ટ્રેન તેજસ બાદ હવે બહુ ટૂંક સમયમાં અમદાવાદ -મુંબઈ રૂટ પર દોડતી શતાબ્દી ટ્રેન હવે ખાનગી ટ્રેન બનવા જઈ રહી છે. આ અંતર્ગત હવે શતાબ્દી ટ્રેનમાં પણ રેલવે મુસાફરોને અત્યારે તેજસ ટ્રેનમાં મળતી તમામ સુવિધાઓ મળવાની શરૂ થશે. અમદાવાદ -મુંબઈ વચ્ચે દોડતી શતાબ્દી ટ્રેનને પણ હવે ખાનગી ટ્રેનમાં તબદીલ કરવા માટેના આયોજન શરૂ થઇ ગયા હોવાનું અત્યંત આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળે છે.
શતાબ્દી ટ્રેનને પણ આઈ.આર.સી.ટી.સી.ને સોંપી દેવાશે
આ વર્ષના અંત સુધીમાં તમામ પ્રક્રિયા પૂરી કરી દેવામાં આવશે. શતાબ્દી ટ્રેનને પણ આઈ.આર.સી.ટી.સી.ને સોંપી દેવાનો તખ્તો તૈયાર થઈ ચૂક્યો છે. ગયા વર્ષે રેલવે ભવનમાં આયોજિત ભારતના અલગ અલગ રેલવે ઝોનના જનરલ મેનેજરની બેઠકમાં રેલવે બોર્ડના અધ્યક્ષની ઉપસ્થિતિમાં શતાબ્દી અને રાજધાની એક્સપ્રેસને ખાનગી એજન્સીને સોંપવા માટેનો રોડ મેપ રજૂ કરાયો હતો. જેને હવે અંતિમ મહોર લાગી શકે છે.
રેલવે વિભાગના સૂત્રોનાં જણાવ્યા મુજબ શતાબ્દી ટ્રેનનું સંચાલન પણ આઈઆરસીટીસી દ્વારા જ કરવામાં આવશે. જેમાં ટ્રેનના સંચાલનનો ખર્ચો આઈઆરસીટીસી ઉપાડશે અને એન્જિન કોચનું ભાડું પણ આઈઆરસીટીસી દ્વારા રેલવેને ચુકવાશે. શતાબ્દીની ટ્રિપ દીઠ આવકનો અમુક ભાગ રેલવેને ચુકવવામાં આવશે. ૨૦૨૦ના અંત સુધીમાં શતાબ્દી એક્સપ્રેસને ખાનગી ટ્રેન બનાવી ફેરવવાની યોજના છે. તેજસ ટ્રેનમાં મળતી સુવિધા પણ શતાબ્દીના મુસાફરોને મળશે. જોકે આઈઆરસીટીસી દ્વારા જ્યારે ટ્રેન દોડાવવામાં આવશે ત્યારે હાલના શતાબ્દીના ભાડા કરતાં ભાડું વધી જશે.