કોરોના મહામારીમાં બંધ કરવામાં આવેલા ટ્રેનોમાં ધાબળાની સુવિધા ફરી શરુ કરવાનો રેલવે તંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે.
પ્રવાસીઓ માટે રેલવેની મોટી જાહેરાત
હવે ટ્રેનોમાં મળશે ધાબળા અને પાથરણા
બે વર્ષ બાદ રેલવેએ શરુ કરી આ સેવા
દેશમાં હવે કોરોના કાબુમાં છે અને ટ્રેનોને કોરોના પહેલાના કાળની જેમ ચાલુ કરવામાં આવી રહી છે અને ધીરે ધીરે તમામ પ્રતિબંધો દૂર કરાઈ રહ્યાં છે અમુકમાં કોરોનામાં બંધ થયેલી સુવિધા પણ ફરી શરુ કરવામાં આવી રહી છે. આવી એક મહત્વની સુવિધા પ્રવાસીઓને ફરી આપવાનો રેલવેએ નિર્ણય લીધો છે. કોરોના મહામારીમાં રેલવે દ્વારા ટ્રેનોમાં ધાબળા અને પાથરણાની સુવિધા બંધ કરવામાં આવી હતી પરંતુ હવે રેલવે દ્વારા તેને ફરી વાર શરુ કરવામાં આવી છે. રેલવેએ ટ્વિટ કરીને જણાવ્યું કે બે વર્ષ બાદ હવે ફરી વાર આ સુવિધા શરુ કરવામાં આવી છે.
Rlys to resume providing linens & blankets inside trains after the service was stopped due to COVID-19
ટ્રેનોમાં હવે મળશે લિનન, ધાબળા અને પરદા
રેલવેએ તાત્કાલિક ધોરણે ટ્રેનોની અંદર લિનન, ધાબળા અને પરદા આપવાનો ઓર્ડર જારી કરી દીધો છે.
ટ્રેનોમાં ધાબળા-પાથરણા મળતા લોકોને મળશે મોટી રાહત
ટ્રેનોમાં ધાબળા અને પાથરણા મળવાને કારણે લોકોને મોટી રાહત મળશે.અત્યાર સુધી તો આ સેવા મળતી નહોતી.
પ્રવાસીઓને કન્શેસનનો લાભ નહીં
જોકે રેલવેએ પ્રવાસીઓ માટે કન્શેસન સુવિધા શરુ કરવાનો નિર્ણય લીધો નથી. કોરોના મહામારીમાં રેલવે પ્રવાસીઓને કન્શેસન બંધ કરી દેવાયું હતું.