પશ્ચિમ રેલવે વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર IRTCT દ્વારા દોડાવવામાં આવનારી અમદાવાદ-મુંબઈ તેજસ એક્સપ્રેસ ટ્રેન હવે સપ્તાહમાં પાંચ નહીં છ દિવસ દોડશે
અમદાવાદ-મુંબઈ વચ્ચે સફર કરતાં લોકો માટે મોટા સમાચાર
તેજસ એક્સપ્રેસ ટ્રેન હવે સપ્તાહમાં પાંચ નહીં છ દિવસ દોડશે
તેજસ એક્સપ્રેસ ટ્રેનમાં અત્યાધુનિક સુવિદ્યાઓથી સજ્જ છે
અમદાવાદ-મુંબઈ વચ્ચે સફર કરતાં લોકો માટે મોટા સમાચાર
પશ્ચિમ રેલવે વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર IRTCT દ્વારા દોડાવવામાં આવનારી અમદાવાદ-મુંબઈ તેજસ એક્સપ્રેસ 12મી એપ્રિલથી શરૂ થયા પછી અમદાવાદથી મુંબઈ અને મુંબઈથી અમદાવાદ સપ્તાહના પાંચ નહી છ દિવસ દોડશે. આમ હવે તેજસ મંગળવારે પણ દોડશે. મહત્વનું છે કે, અમદાવાદ-મુંબઈ તેજસ એક્સપ્રેસ વિશ્વસ્તરીય પ્રવાસ અનુભવની સાથે પ્રવાસીઓ અને તેમા પણ ખાસ કરીને બિઝનેસ ટ્રાવેલરોને આરામદાયી પ્રવાસની સગવડ પૂરી પાડે છે.
તેજસ એક્સપ્રેસ ટ્રેનમાં શું હશે સુવિદ્યાઓ
IRTCT મુંબઈ-અમદાવાદ તેજસ એક્ઝિક્યુટિવ ચેર કાર અને અને એસી ચેર ક્લાસ સર્વિસ પૂરી પાડે છે. આ ટ્રેનના કેટલાક મહત્વના ફીચર્સમાં જોઈએ તો પ્રવાસીઓ માટેની આરામદાયક સીટ્સ, ઓન-બોર્ડ ઇન્ફોટેઇનમેન્ટ, ઓટોમેટિક ઇન્કટરનેક્ટિંગ ડોર્સ, સીસીટીવી કેમેરા, જીપીએસ આધારિત પેસેન્જર ઇન્ફોર્મેશન સ્ક્રીન્સ, મોબાઇલ ચાર્જિંગ પોઇન્ટ્સ, મોડ્યુલર બાયો-ટોઇલેટ્સ, ઓટોમેટિક એન્ટ્રી અને એક્ઝિટ ડોર, વેનેટિયન બ્લાઇન્ડ્સ સાથેની વિન્ડોઝ, બ્રેઇલી ઇન્ટિગ્રેટેડ સીટ નંબર, પહોળી લગેજ રેક વગેરેનો સમાવેશ થાય છે. આ આધુનિક પાસાઓ ઉપરાંત આઇઆરસીટીસી તેજસ ટ્રેનના પ્રવાસીઓને વિના મૂલ્યે પ્રવાસ વીમો પૂરો પાડે છે. તેમા ટ્રેનના પ્રવાસમાં કલાકથી વધુ વિલંબ થાય તો નાણા રિફંડ મળે છે.
પશ્ચિમ રેલવેએ આ ઉપરાંત 21 ટ્રેનોની પેરમાં વધારાના કોચ જોડવાનું આયોજન કર્યું