રાજકોટમાં પ્રથમ વખત રાજકોટ મનપા દ્વારા એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફ્લેટમાં ભાવ ઘટાડયો હોવાના સમાચાર મળી રહ્યા છે.
રાજકોટમાં ઘરના ઘરનું સપનુ જોતા લોકો માટે સારા સમાચાર
RMC આવાસ યોજનાના ફોર્મ બહાર પાડશે
24 લાખમાંથી 6 લાખ કિંમત ઘટાડી 18 લાખ કરાઇ
આગામી સપ્તાહમાં મનપા બહાર પાડશે ફોર્મ
રાજકોટમાં ઘરના ઘરનું સપનુ જોતા લોકો માટે સારા સમાચાર
રાજકોટમાં પ્રથમ વખત રાજકોટ મનપા દ્વારા એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ મહાનગર પાલિકા દ્વારા આગામી સપ્તાહમાં 3BHK આવાસ યોજનાના ફોર્મ બહાર પાડશે. મહત્વનું છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફ્લેટમાં ભાવ ઘટાડયો હોવાના સમાચાર મળી રહ્યા છે.
24 લાખમાંથી 6 લાખ કિંમત ઘટાડી 18 લાખ કરાઈ
ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીના બે વર્ષમાં આવેલી મંદીના કારણે અનેક લાભાર્થીઓએ તેમને મળેલા ફ્લેટની ફાળવણી રદ કરાવી છે. તેમજ અનેક લોકોએ ઉંચી કિંમતના હપ્તા ભરી ન શકાય તેથી અરજી જ કરી નથી. આ સંજોગોમાં હવે મહાપાલિકાએ 3BHKના રૂ.24 લાખની કિંમતના ફ્લેટ રૂ.18 લાખમાં આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.
975 આવાસ ખાલી રહેતાં RMC દ્વારા ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 1268માંથી 975 આવાસ ખાલી રહેતા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આમ આગામી સપ્તાહમાં મનપા બહાર ફોર્મ પાડશે.