શહેરી વિસ્તારોમાં વધુ 1.15 કરોડ મકાનો બનાવવાની કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે.
સસ્તા ઘરોની યોજના 31 માર્ચે થશે પૂરી
શહેરી વિકાસ મંત્રી પુરીએ રાજ્યસભામાં કરી જાહેરાત
અત્યાર સુધી 1.15 કરોડ મકાનો બાંધવામાં આવ્યાં
શહેરી વિકાસ મંત્રી હરદીપ સિંહ પુરીએ સોમવારે રાજ્યસભામાં દાવો કર્યો કે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)નો ઉદ્દેશ્ય આગામી 18 મહિનામાં પૂરો થઈ જશે. સભ્યો પાસેથી પૂરક પ્રશ્નોના જવાબમાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, સરકારે રાજ્યો દ્વારા પૂરી પાડવામાં આવેલી આકારણીની માગણીઓના આધારે પીએમએવાય-યુ હેઠળ 1.15 કરોડ મકાનોને મંજૂરી આપી છે. આગામી 18 મહિનામાં વિવિધ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવશે.
1.15 crore houses sanctioned under PMAY-Urban; scheme ending this month: Housing and Urban Affairs Minister Hardeep Singh Puri tells Rajya Sabha
2022 સુધીમાં દરેકની પાસે પાક્કુ મકાન હશે
પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ની કલ્પના જૂન 2015માં કરવામાં આવી હતી. હાલ મકાનોની માગ એક કરોડના પ્રારંભિક અંદાજ કરતાં ઘણી વધી ગઇ છે. વડાપ્રધાનનું સપનું છે કે માર્ચ 2022 સુધીમાં દરેક ભારતીયના માથે 'પાકું' છાપરું અને રસોડું, શૌચાલય હોય.
31 માર્ચ બાદ ક્રેડિટ લિંક્ડ સબસિડી સ્કીમ ચાલુ રહે તેવી સંભાવના
એક સવાલના જવાબમાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે 31 માર્ચ બાદ ક્રેડિટ લિંક્ડ સબસિડી સ્કીમને ચાલુ રાખવાની સમીક્ષા પર વિચાર કરવામાં આવી રહ્યો નથી.
તમામ રાજ્યોની આકારણીને આધારે સરકારે કર્યો નિર્ણય
હરદીપ સિંહ પુરીએ કહ્યું કે પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી યોજના હેઠળ તમામ રાજ્યોને જૂન 2015માં ડિમાન્ડ એસેસમેન્ટ આપવા માટે કહેવામાં આવ્યું હતું. તેના આધારે એક કરોડ મકાનોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ સાથે પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરીનો સમગ્ર હેતુ પૂર્ણ થયો હોત. હવે ખાનગી ક્ષેત્રમાં પણ અફોર્ડેબલ હાઉસિંગ આવી રહ્યું છે. આવી સ્થિતિમાં, કેટલાક રાજ્યો અમને વધુ માંગણીઓ મોકલી રહ્યા છે. સરકારે એક પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે. તે 18 મહિનાની અંદર પૂર્ણ થઈ જશે.
દરેક ભારતીયની પાસે ઘરનું ઘર ક્યારે હશે-સવાલના જવાબમાં મંત્રીએ આપ્યો જવાબ
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ યોજનાનો પ્રસ્તાવ જૂન 2015 માં શરૂ થયો હતો. બે વર્ષથી રોગચાળો હોવા છતાં, આ યોજના ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. સામાન્ય રીતે 18 મહિનાનો સમયગાળો હોય છે જ્યારે મંજૂરી પછી પ્રોજેક્ટ્સ પૂર્ણ થાય છે. હરદીપ સિંહ પુરી ટીએમસી સાંસદ ડેરેક ઓ બ્રાયનના એક ખાસ સવાલનો જવાબ આપી રહ્યા હતા. ટીએમસી સાંસદે પૂછ્યું હતું કે દરેક ભારતીયનું પોતાનું ઘર ક્યારે હશે.
ચાલુ મહિનાના અંતે પૂરી થવાની હતી શહેર આવાસ યોજના
મંત્રીએ એવું પણ જણાવ્યું કે ચાલુ મહિનાના અંતમાં શહેરી આવાસ યોજના પૂરી થવાની હતી પરંતુ હવે રાજ્યોની માગને આધારે 1.15 કરોડ બીજા ઘરોના બાંધકામને મંજૂરી આપવામાં આવી છે જેનું કામ 18 મહિનામાં પુરુ કરી લેવામાં આવશે.