NEETની પરીક્ષા ન આપી શકનાર વિદ્યાથીઓ માટે ફરીથી સારા સમાચાર આવ્યા છે. જે પરીક્ષાર્થીઓ કોવિડ-કન્ટેઇનમેંટ ઝોનના કારણે પરીક્ષા આપી શક્યા ન હતા તેમના માટે ખાસ તો કેન્દ્ર સરકાર દ્વારા બીજી વાર આ પરીક્ષા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 16 ઓક્ટોબરે આ પરીક્ષાનું પરિણામ જાહેર થવાનું છે.
NEETની પરીક્ષાનો મામલો
પરીક્ષાથી વંચિત રહેનારને તક
14 ઓક્ટોબરે યોજાશે પરીક્ષા
કેન્દ્ર સરકારે દેશમાં મેડિકલ પ્રવેશ આપવા માટેની ખાસ ગણાતી NEET ની પરીક્ષા બીજી વાર લેવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ ઘણા રાજ્યોના વિરોધ છતાં પણ આ પરીક્ષા એક વાર લેવાઈ ચૂકી છે, જેનું પરિણામ આગામી 16 ઓક્ટોબરે જાહેર થવાનું છે, ત્યારેપ ઘણા વિદ્યાર્થીઓ જે કોવિડ-કન્ટેઇનમેંટ ઝોન માં રહેતા હતા તે પરીક્ષા આપી શક્યા ન હતા તેમના
માટે ખાસ 14 ઓક્ટોબરે ફરીથી આ પરીક્ષા લેવાનું સરકારે નક્કી કર્યો છે.
સોલિસિટર જનરલે સુપ્રીમ કોર્ટમાં આપી માહિતી
આ માટેની માહિતી સોલિસિટર જનરલ તુષાર મહેતા એ સુપ્રીમ કોર્ટમાં આપી હતી, તેમણે કહ્યું હતું કે કોવિડ-કન્ટેઇનમેંટ ઝોન આ પરીક્ષાની વધુ એક તક એવા વિદ્યાર્થીઓને ખાસ અપાશે જે કોવિડ-કન્ટેઇનમેંટ ઝોન ના લીધે આ પરીક્ષા આપી શક્યા નહોતા, અથવા જેઓ જેમને કોરોના થયો હતો. નોંધનીય છે કે આ પરીક્ષાનો એક રાઉન્ડ 13 સપ્ટેમ્બરે યોજાઇ ચૂક્યો છે, જેનું પરિણામ 12 ઓક્ટોબરે જાહેર થવાનું હતું, પરંતુ હવે સુપ્રીમ કોર્ટે બહાર પાડેલી ગાઈડલાઇન્સ મુજબ 16 ઓક્ટોબરે પરિણામ જાહેર કરાશે.
સત્તાવાર નોટિસ વેબસાઇટ પર મૂકાશે, અને પરિણામની સાથે ફાઇનલ આન્સર કી પણ જાહેર કરાશે
NEET 2020 ફેઝ 2 સંબંધિત સત્તાવાર નોટિસ ટૂંક સમયમાં સત્તાવાર સાઇટ પર પ્રકાશિત થશે. સાથે જ પરિણામની સાથે ફાઇનલ આન્સર કી પણ બહાર પાડવામાં આવશે. E1-E6, F1-F6, G1-G6, H1-H6 બધા સેટ્સ માટેની ફાઇનલ આન્સર કીઓ NTA એજન્સી દ્વારા એકસાથે બહાર પાડવામાં આવશે. આમ હવે ગુજરાતના એ વિદ્યાર્થીઓ જેઓ કોરોનાના લીધે અથવા કોવિડ-કન્ટેઇનમેંટ ઝોન ના લીધે પરીક્ષા આપી શક્યા નહોતા, તે પણ આ વખતે આ પરીક્ષા આપી શકશે.
શું છે NEET પરીક્ષા ?
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા / ડેન્ટલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની મંજૂરીથી ચાલતા મેડિકલ / ડેન્ટલ કોલેજોમાં ભારતમાં MBBS / BDS અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી NET દર વર્ષે NEET પરીક્ષા લે છે , ભારત સરકારની સંસદના અધિનિયમ દ્વારા સ્થાપિત સંસ્થાઓ દા.ત. AIIMS અને JIPMER પુડુચેરી સિવાય દર વર્ષે 13 લાખથી વધુ વિદ્યાર્થીઓ NEET 2020 ની પરીક્ષા આપે છે જે ઓફલાઇન મોડમાં લેવામાં આવે છે.