અટલ પેન્શન યોજનાના ધારકો માટે આજે અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતીનાં દિવસે એક ખુશીનાં સમાચાર છે. નાણા મંત્રાલય દ્વારા મહત્તમ માસિક પેન્શનની રકમ વધારીને 1 લાખ કરવામાં આવે તેવી સંભાવના છે.
સ્કીમમાં એનરોલમેન્ટ માટે વય મર્યાદા વધારીને 50 વર્ષની કરવા પર પણ વિચારણા
મહત્તમ માસિક પેન્શનની રકમ વધારીને રૂ10000 કરવા સક્રિય વિચારણા
આ યોજનામાં એનરોલમેન્ટ માટે વયમર્યાદા વધારીને 50 વર્ષ કરવામાં આવશે નાણાં મંત્રાલય અટલ પેન્શન યોજના (એપીવાય) હેઠળ આપવામાં આવતા મહત્તમ માસિક પેન્શનની રકમ વધારીને રૂ10000 કરવા સક્રિય વિચારણા કરી રહ્યું છે. મંત્રાલય આ ઉપરાંત આ સ્કીમમાં એનરોલમેન્ટ માટે વય મર્યાદા વધારીને 50 વર્ષની કરવા પર પણ વિચારણા કરી રહ્યું છે.
અત્યારે આ સ્કીમનો ફાયદો અસંગઠિત ક્ષેત્રના કામદારોને મળે છે અને તેમાં ૧૮થી ૪૦ વર્ષ સુધીની વય ધરાવતા લોકોનું એનરોલમેન્ટ થઇ શકે છે. આ યોજના ૬૦ વર્ષની ઉંમરથી લોકોને રૂ.1000 થી રૂ.5000 સુધી મિનીમમ ગેરંટેડ મન્થલી પેન્શન આપ છે. પેન્શન ફંડ રેગ્યુલેટરી ડિપાર્ટમેન્ટ ઓથોરિટીના સભ્ય (ફાઇનાન્સ) સુપ્રતીમ બંદોપાધ્યાયે જણાવ્યું છે કે અમે નાણાં મંત્રાલયને આ યોજના માટે મહત્તમ વયમર્યાદા વધારવા અને મહત્તમ ગેરંટેડ મન્થલી પેન્શનની રકમ વધારીને ડબલ કરવા માટે સલાહ આપી છે.
અમે સબસ્ક્રિપ્શન રેટની જાણકારી મંત્રાલયને આપી છે અને તેનો એકચ્યુઅલ વેલ્યુએશન રિપોર્ટ પણ ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. આમ અમે નાણાં મંત્રાલયને અમારો પ્રસ્તાવ રજૂ કરી દીધો છે અને આ પ્રસ્તાવને કેટલી હદે સ્વીકારવો તે હવે સરકારે નિર્ણય લેવાનો છે.