આઇપીએલ સીરીઝ હજુ પૂરી જ થઇ છે ત્યાં સાઉથ આફ્રિકા સામેની T-20 સીરીઝની તૈયારીઓ ચાલુ થઇ ગઈ છે. આ મુકાબલામાં ઘણાં નવા ખેલાડીઓ પણ રમશે. જયારે ટીમની સુકાની કે એલ રાહુલ સંભાળશે
ભારત અને સાઉથ આફ્રિકાની 9 જૂનથી T 20 સિરીઝ
IPL પછી ખેલાડીઓ આરામના મૂડમાં
કે એલ રાહુલ ટીમનાં કેપ્ટન રહેશે
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે મુકાબલો
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે હવે T-20 સિરીઝ રમાશે. આ માટે દક્ષિણ આફ્રિકાની ટીમ 2 જૂને દિલ્હી આવશે. ભારતીય ખેલાડીઓ આ સિઝન પહેલા આઈપીએલમાં વ્યસ્ત હતા. હવે આઈપીએલ પછી ટી-20 સીરીઝ 9 જૂનથી શરૂ થઈ રહી છે. સિઝન પહેલા ભારતીય ખેલાડીઓ માટે એક સારા સમાચાર છે. બીસીસીઆઈએ ખેલાડીઓને આરામ આપ્યો છે. જો કે, હજુ સુધી કોઇ સત્તાવાર સૂચન આવ્યું નથી.
કેપ્ટન હશે કે એલ રાહુલ
ટીમ ઇન્ડિયા કે એલ રાહુલની કેપ્ટનશિપમાં 9 જૂનથી ટી 20 સીરીઝ રમશે. શ્રેણીની પ્રથમ મેચ દિલ્હીમાં રમાશે. ભારતીય ખેલાડીઓ આઈપીએલમાં રમી રહ્યા હતા. આ કારણે તેમને પણ બ્રેકની જરૂર છે. મીડિયા રિપોર્ટ અનુશાર આ જ કારણે બીસીસીઆઇએ તેને શ્રેણી શરુ થવાના બે દિવસ અગાઉ રિપોર્ટ કરવા જણાવ્યું છે.
નવા ખેલાડીઓને પણ મળ્યો મોકો
ઉલ્લેખનીય છે કે ટી20 સીરીઝ માટે બીસીસીઆઈએ ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ અય્યર, હાર્દિક પંડ્યા અને ઋષભ પંત સહિત ઘણા નવા ખેલાડીઓને પણ તક આપી છે. જેમાં દીપક હૂડા, વેંકટેશ અય્યર, ઇશાન કિશન, અવેશ ખાન અને હર્ષલ પટેલનો સમાવેશ થાય છે. શ્રેણીની પ્રથમ મેચ 9 જૂને દિલ્હીમાં રમાશે. બીજી મેચ કટકમાં 12 જૂને રમાશે. શ્રેણીની છેલ્લી મેચ 19 જૂને બેંગ્લોરમાં રમાશે.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટી-20 શ્રેણી
પ્રથમ મેચ - 9 જૂન, દિલ્હી
બીજી મેચ - 12 જૂન, કટક
ત્રીજી મેચ - 14 જૂન, વિશાખાપટ્ટનમ
ચોથી મેચ - 17 જૂન, રાજકોટ
પાંચમી મેચ - 19 જૂન, બેંગ્લોર