કરદાતાઓ માટે મોટી ખુશખબર છે. કેન્દ્ર સરકારે વિવાદથી વિશ્વાસ યોજનાની મુદત વધારી દીધી છે.
કરદાતાઓ માટે મોટી ખુશખબર
કેન્દ્ર સરકારે મહત્વની યોજનાની મુદત લંબાવી
વિવાદથી વિશ્વાસ યોજનાની મુદત વધારાઈ
કેન્દ્ર સરકારે કરદાતાઓ માટે મહત્વની ગણાતી વિવાદથી વિશ્વાસ યોજનાની મુદત લંબાવી દીધી છે. આ યોજનામાં કરદાતાઓ સાથેના પેન્ડિંગ ટેક્સ વિવાદનો સુખરૃપ રીતે ઉકેલ લાવવાની એક સ્વૈચ્છિક યોજના છે. આ યોજનાની છેલ્લી તારીખ 31 માર્ચ 2021 હતી હવે તેની મુદત લંબાવી દેવામાં આવી છે. હવે કરદાતાઓની પાસે વ્યાજ સહિત 31 ઓક્ટોબર સુધી બાકી રકમની ચુકવવાનો વિકલ્પ છે.
31 ઓક્ટોબર 2021 સુધી મુદત લંબાવાઈ
કેન્દ્ર સરકારે કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડે કરદાતાઓને એક મોટી રાહત આપતા વિવાદથી વિશ્વાસથી યોજનાની મુદત વધારી દીધી છે. 25 જુને જારી અધિસૂચના અનુસાર, રકમની ચુકવણી માટે 31 ઓગસ્ટ 2021 ની તારીખ નક્કી કરવામાં આવી હતી. વિવાદથી વિશ્વાસ યોજના હેઠળ રકમની ચુકવણીની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર 2021 સુધી કરી દેવામાં આવી છે.
કેન્દ્ર સરકારે વિવાદથી વિશ્વાસ દ્વારા 53, 684 કરોડ મેળવ્યા
કેન્દ્ર સરકારે સંસદમાં જણાવ્યું હતું કે સરકારે પ્રત્યક્ષ કર વિવાદ સમાધાન યોજના, વિવાદથી વિશ્વાસ દ્વારા અત્યાર સુધી 53, 684 કરોડ મેળવ્યા છે. નાણા રાજ્યમંત્રી પંકજ ચોધરીરએ લોકસભામાં કહ્યું હતું કે યોજના હેઠળ 99, 765 કરોડ રુપિયાના વિવાદીત ટેક્સના સંબંધમાં 1.32 લાખથી વધારે ઘોષણાઓ ફાઈલ કરવામાં આવી છે.