સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. વડતાલ ગાદીના વિવાદનો સુખદ અંત આવે તેવી શક્યતા છે. બન્ને પક્ષ વચ્ચે દોઢ દાયકા બાદ સુખદ સમાધાનના સંકેત જોવા મળ્યા. વડતાલ ગાદીના આચાર્ય પદ માટે વિવાદ ચાલી રહ્યો હતો. જેને લઈને આ સમગ્ર મામલે આચાર્ય પક્ષના એસ.પી.સ્વામી સમાધાનના પ્રયાસ કરી રહ્યા છે.
સમાધાન માટે બંન્ને પક્ષના સંતોએ યોજી બેઠક
જેમાં આચાર્ય પક્ષ તરફથી નિત્યસ્વરૂપ સ્વામી હાજર રહ્યા. જ્યારે દેવ પક્ષ તરફથી પણ અગ્રણી સંતો હાજર રહ્યા. ત્યારે જૂનાગઢ અને ગઢડા મંદિરની ચૂંટણી બાદ હવે સમાધાન થઈ શકે છે. નોંધનીય છે કે, ગઢડા મંદિરની ચૂંટણીમાં દેવ પક્ષનો વિજય થયો છે. જ્યારે જૂનાગઢ મંદિરની ચૂંટણીમાં આચાર્ય પક્ષે સત્તા જાળવી રાખી છે. મહત્વનું છે કે, વડતાલ તાબામાં ત્રણ મુખ્ય મંદિર આવે છે.
હરિભક્તોમાં ખુશીનો માહોલ
જેમાં વડતાલ, જૂનાગઢ અને ગઢડા મંદિરનો સમાવેશ થાય છે તો આ સમગ્ર મામલે આચાર્ય પક્ષના એસ.પી.સ્વામીએ નિવેદન આપ્યું. જેમાં તેમણે કહ્યું કે, દેવ પક્ષના જ્ઞાન સ્વામી દ્વારા બંને પક્ષોના સમાધાનની ચાલતી બેઠક તે સારી બાબત છે અને બંને પક્ષોના સમાધાનની વાતને લઈ સંતો અને હરિભક્તોમાં ખુશી છે. આ ઉપરાંત બંને પક્ષોનું સમાધાન થાય તો અમે પણ સહમત છીએ. તેમ પણ એસ.પી. સ્વામીએ કહ્યું હતુ .
આચાર્યપદનો વિવાદ શું છે ?
પૂર્વ આચાર્ય અજેન્દ્રપ્રસાદને પદભ્રષ્ટ કરાયા હતા. દક્ષિણ વિભાગની સત્સંગ મહાસભાએ પદભ્રષ્ટ કર્યા હતા. 2003માં ગાદી સ્થાનેથી પદભ્રષ્ટ કર્યા હતા. અજેન્દ્રપ્રસાદને આચાર્યપદેથી દૂર કરાયા હતા. દેશ વિભાગના લેખ પ્રમાણે પાર્ષદોને સંત દિક્ષા આપતા ન હતા. ચરણભેટ જમા કરાવતા ન હતા. વડતાલ સંપ્રદાયને નુકસાન થાય તેવું વર્તન કરતા હતા.
સંપ્રદાયના નિયમ વિરૂદ્ધ ત્રીજી ગાદીની સ્થાપ્ના કરી હતી. શ્રીજી મહારાજના આદેશો પવિત્ર શિક્ષાપત્રીનું ઉલ્લંઘન કર્યુ હતું. બ્રહ્મચારી અને સાધુને દિક્ષા ન આપવી. ગૃહસ્થ હરિભક્તોને ગુરૂમંત્ર ન આપવો. નૂતન મંદિરમાં ભગવાનની મૂર્તિની પુનઃ પ્રતિષ્ઠા ન કરવી.
હરિભક્તોને ત્યાં પધરામણી ન આપવી. આવેલી ભેટ મંદિરમાં જમા કરાવવાના સ્થાને અંગત ઉપયોગમાં લેવી. 2003માં અજેન્દ્રપ્રસાદને પદભ્રષ્ટ કરાયા હતા. સર્વાનુમત્તે રાકેશપ્રસાદ મહારાજને આચાર્ય પદે આરૂઢ કર્યા હતા. જે અંગેનો દાવો નડિયાદ જ્યુડિશીયલ કોર્ટમાં કરાયો હતો. 6 મહિનાથી `પર ડે' કાર્યવાહી ચાલી રહી હતી. જેનો આજે ચુકાદો આવી શકે છે.