નાની બચત યોજનાના રોકાણકારો માટે સારા સમાચાર છે. સરકારે આ સ્કીમને લઈને ચાલુ નાણાકીય વર્ષની બીજી તિમાહીમાં વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યા નથી.
સરકારના આ 1 નિર્ણયથી થશે ફાયદો
Small Savings Schemesના રોકાણકારોને થશે ફાયદો
સરકારે સ્કીમના વ્યાજના દરોમાં કોઈ ફેરફાર કર્યા નથી
નાણામંત્રાલયે જાહેર કર્યું છે નોટિફિકેશન
નાણામંત્રાલયની તરફથી આ વિશે નોટિફિકેશન જાહેર કરાયું છે. સરકાર દર ત્રણ મહિને નાની બચત યોજનાના વ્યાજના દરને રિવાઈઝ કરે છે. માર્ચ 2021માં સરકારે તેના વધારાને લઈને નોટિફિકેશન જાહેર કર્યું હતુ. હવે સરકારે એકવાર ફરીથી 30 સ્પટેમ્બરે પૂરી થનારી ત્રિમાહીને લઈને વ્યાજના દરમાં કોઈ ફેરફાર કર્યા નથી
સતત 5મી વખત થશે એવું કે વ્યાજના દરમાં ફેરફાર નહીં થાય
આ સતત 5મી ત્રિમાસિક હશે જ્યારે સરકારે પોસ્ટ ઓફિસ સ્કીમ જેવા પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) અને સુકન્યા સમૃદ્ધિ સ્કીમ જેવી યોજનાના વ્યાજના દરમાં કોઈ ફેરફાર કર્યા નથી. નાણામંત્રાલયની તરફથી 30 જૂન 2021ના રોજ જાહેર કરાયેલા નોટિફિકેશનના આધારે PPF પર 7.10 ટકા, NSC પર 6.8 ટકા, પોસ્ટ ઓફિસ મંથલી ઈન્કમ સ્કીમ પર 6.6 ટકાના દરે વ્યાજ મળતું રહેશે. સુકન્યા સમૃદ્ધિ સ્કીમ પર અત્યારે પણ 7.6 ટકાનું વ્યાજ મળી રહ્યું છે. જ્યારે સીનિયર સીટિઝન સેવિંગ સ્કીમ પર 7.4 ટકાનું વ્યાજ મળી રહ્યું છે જે મળતું રહેશે.
31 માર્ચે વ્યાજ દર ઘટાડવાની થઈ હતી જાહેરાત
આ પહેલા 31 માર્ચે સરકારે નાની બચત યોજનાના વ્યાજના દરમાં ઘટાડાની જાહેરાત કરી હતી. નાણામંત્રાલયની તરફથી આ વાતની જાહેરાત કરાઈ હતી કે પહેલા ત્રિમાસિકમાં 30 જૂનના રોજ પૂરી થતી તિમાહીને માટે નાની બચત યોજનાના વ્યાજના દરોમાં 0.40 ટકાથી લઈને 1.1 ટકાનો ઘટાડો કરાયો હતો. આ ઘટાડો લાગૂ થશે તો પીપીએફનો દર 7 ટકાથી નીચે આવશે. આવું થશે તો 1974 બાદ આ પહેલીવાર બનશે. અચાનક 1 એપ્રિલની સવારે નાણામાંત્રીએ ટ્વિટ કરીને નાની બચત યોજનામાં ઘટાડાને એક ભૂલ ગણાવીને નિર્ણયને પરત ખેંચી લીધો હતો.