પ્રાથમિક શિક્ષકો માટે સરકારે 4200 ગ્રેડ પે માટેનો પરિપત્ર જાહેર કર્યો છે. વર્ષ 2010 પછી ભરતી થયેલા શિક્ષકોને ફાયદો થશે.
4200 ગ્રેડ પે થી શિક્ષકોને શું ફાયદો થશે?
શિક્ષકોને પગારમાં માસિક 1500નો ફાયદો થશે
65 હજાર જેટલા શિક્ષકોને મળશે લાભ
પ્રાથમિક શિક્ષકોની ગ્રેડ-પેની લડાઈનો સુખદ અંત આવ્યો છે. ગ્રેડ-પેને લઇને શિક્ષકોની લડત રંગ લાવી છે અને શિક્ષકોને 4200નો ગ્રેડ પે મંજૂર કરાયો છે. સરકારે 4200 ગ્રેડ પે માટે પરિપત્ર કર્યો છે. વર્ષ 2010 પછી ભરતી થયેલા શિક્ષકોને ફાયદો થશે. શિક્ષકોએ 4200 ગ્રેડ પે માટે લાંબી લડત ચલાવી હતી. ગાંધીનગર ખાતે પણ શિક્ષકોએ આંદોલન કર્યું હતું.
4200ના ગ્રેડ પે માટે શિક્ષકોની લડાઈનો હકારાત્મક અંત આવ્યા બાદ રાજ્યના 65 હજાર જેટલા શિક્ષકોને આ લાભ મળશે. HTATની બઢતી માટેની વિસંગતતાઓ દૂર થઇ છે. 4200ના ગ્રેડ-પે પછી શિક્ષકોને અંદાજે 15 હજાર જેવો વાર્ષિક ફાયદો થશે. અગાઉ શિક્ષકોને 2800નો ગ્રેડ પે મળતો હતો.
9 ડિસેમ્બર 2020ના રોજ DyCMએ કહ્યું હતું કે, હવે પ્રમોશન માટે કોઈ પરીક્ષા લેવાની નહીં રહે. નાણા, શિક્ષણ અને સામાન્ય વહીવટ વિભાગ સાથે પરામર્શ કર્યુ હતું. 4200 ગ્રેડ પે મામલે વારંવાર રજૂઆતો થઈ હતી. શિક્ષણ સંઘોએ CM સમક્ષ રજૂઆતો કરી હતી. 2019ના ઠરાવથી ઉભા થયેલા પ્રશ્નોનું નિરાકરણ આવ્યું છે. મહત્વનું છે કે, આનાથી પ્રાથમિક શાળાના શિક્ષકોને લાભ મળશે.