એસ.જી. હાઈ-વે પર વધુ એક ઓવરબ્રીજ પૂર્ણતાના આરે છે ત્યારે ખૂબ જ જલ્દી આ બ્રીજને શહેરીજનો માટે ખુલ્લો મુકવામાં આવે આવે તેવું મનાઈ રહ્યું છે
અમદાવાદમાં વધુ એક બ્રીજ તૈયાર
એસ.જી. હાઈ-વે પર તૈયાર થયો બ્રીજ
ટ્રાફિકની સમસ્યા થશે હળવી
અમદાવાદથી ગાંધીનગર જતા લોકો માટે ખુશીના સમાચાર છે. હવે ગાંધીનગર દૂર નથી કેમ કે એસ.જી. હાઈ-વે પર વધુ એક ઓવરબ્રીજ પૂર્ણતાના આરે છે ત્યારે ખૂબ જ જલ્દી આ બ્રીજને શહેરીજનો માટે ખુલ્લો મુકવામાં આવે આવે તેવું મનાઈ રહ્યું છે.
અમદાવાદમાં વધુ એક બ્રીજ તૈયાર
અમદાવાદનો સતત વ્યસ્ત રહેતો રોડ એટલે એસ.જી. હાઈ-વે, જ્યાં શહેરીજનોએ ટ્રાફિકની સમસ્યાને કારણે અનેકવાર મુશ્કેલીમાં મુકાવવું પડતું હોય છે ત્યારે હવે ટૂંક સમયમાં જ સરખેજથી ગાંધીનગરના અડાલજને જોડતા બ્રીજને ખુલ્લા મુકવામાં આવશે, કેમ કે આ બ્રીજનું કામ હવે પૂર્ણતાને આરે આવી ગયું છે આ હાઈ-વે અમદાવાદ શહેરના ટ્રાફિકને ધ્યાને રાખીને બનાવાયો છે પણ જેમ શહેરમાં વાહનોની સંખ્યા વધી અને ટ્રાફિક સમસ્યાને જોતા એસ.જી. હાઈ-વેને ટ્રાફિક ફ્રી કરવા સરકારે એક બાદ એક અનેક બ્રિજનું નિર્માણ કર્યું છે
એસ.જી. હાઈ-વે પર તૈયાર થયો બ્રીજ
તાજેતરમાં જ વૈષ્ણોદેવી ઓવરબ્રીજ ખુલ્લો મુકવામાં આવ્યો છે અને હવે સોલાથી ચાણક્યપુરી સુધીનો 2 કિમી લાંબો ઓવરબ્રીજ 90 ટકા તૈયાર થઈ ગયો છે. ઓવરબ્રીજનું કામ પૂર્ણતાના આરે છે ત્યારે હવે આ બ્રીજને ટૂંક સમયમાં ખુલ્લો પણ મુકવામાં આવી શકે છે. આ બ્રીજ સોલાથી શરૂ થઈને ચાણક્ય પુરી સુધી બનાવાયો છે આ 2 કિમીના અંતરમાં વચ્ચે હાઈકોર્ટ અને સોલા સિવિલ હોસ્પિટલ આવી જાય છે જેથી આ બન્ને સ્થળોએ ટ્રાફિકનું ભારણ ઘટશે.