સરકારી પેન્શનરો માટે જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર, 2021 સુધી લંબાવવામાં આવી છે. સામાન્ય રીતે તેને સબમિટ કરવાની અંતિમ તારીખ 30 નવેમ્બર છે.
પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગે મેમોરેન્ડમ દ્વારા આની જાહેરાત કરી
કોરોના વધતી જતી મહામારીના કારણે આ નિર્ણય લેવાયો
મેમોરેન્ડમ અનુસાર પેન્શનરો ડિજિટલ રીતે પણ પ્રમાણપત્ર સબમિટ કરી શકે છે
પેન્શનરો માટે હયાતી પ્રમાણપત્ર સબમિટ કરવાની તારીખ લંબાવવામાં આવી
સરકારી પેન્શનરો માટે રાહતના સમાચાર છે. પેન્શનધારકો માટે તેમનું વાર્ષિક હયાતીનું પ્રમાણપત્ર સબમિટ કરવાની સમયમર્યાદા એક મહિના માટે લંબાવવામાં આવી છે. હયાતીનું પ્રમાણપત્ર સબમિટ કરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર 2021 થી વધારીને 31 ડિસેમ્બર 2021 કરવામાં આવી છે. જેમણે હજુ સુધી તેમનું વાર્ષિક હયાતીનું પ્રમાણપત્ર જમા કરાવ્યું નથી. તેમને સબમિટ કરવા માટે વધુ 26 દિવસનો સમય મળ્યો છે. પેન્શનરોને તેમનું પેન્શન મળતું રહે તેની ખાતરી કરવા માટે તેમનું હયાતી પ્રમાણપત્ર સબમિટ કરવું જરૂરી છે.
કોરોના વધતી જતી મહામારીના કારણે આ નિર્ણય લેવાયો
એવું કહેવામાં આવ્યું છે કે હવે કેન્દ્ર સરકારના પેન્શનરો 31 ડિસેમ્બર, 2021 સુધી જીવન પ્રમાણપત્ર જમા કરાવી શકશે. આ વિસ્તૃત સમયગાળા દરમિયાન, પેન્શન વિતરણ સત્તાધિકારીઓ (PDAs) દ્વારા ચૂકવવામાં આવનાર પેન્શન કોઈપણ વિક્ષેપ વિના ઉપલબ્ધ રહેશે. મેમોરેન્ડમમાં કહેવામાં આવ્યું છે કે મુદ્દતને વધારવાથી બેંકોની શાખાઓમાં કોઈ ભીડ નહીં રહે અને એ સુનિશ્ચિત કરવામાં આવશે કે હયાતીના પ્રમાણપત્ર લેતી વખતે કોવિડ-19 યોગ્ય વર્તનનું પાલન કરવામાં આવે. પીડીએ શાખાઓમાં યોગ્ય વ્યવસ્થા અને સામાજિક અંતરના પગલાંની પણ ખાતરી કરશે અને ભીડને અટકાવશે.
નવા મેમોરેન્ડમ અનુસાર પેન્શનરો ડિજિટલ રીતે પણ હયાતી પ્રમાણપત્ર સબમિટ કરી શકે
વિભાગે આ વર્ષે સપ્ટેમ્બરમાં એક ઓફિસ મેમોરેન્ડમ જાહેર કર્યું હતું, જેમાં તેણે પેન્શનર હયાતી પ્રમાણપત્ર સબમિટ કરવાની રીતોનો ઉલ્લેખ કર્યો છે. પેન્શનરો શારીરિક અથવા ડિજિટલ રીતે હયાતી પ્રમાણપત્ર સબમિટ કરી શકે છે. આ માટે તેઓ બેંક, પોસ્ટ ઓફિસ જઈ શકે છે અથવા ઘરઆંગણે સેવાનો લાભ લઈ શકે છે.